Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારલીમખેડા

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

  • હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી
  • ૧૪મી ફેબ્રુઆરીએ 2019 મા પુલવામા આતંકીઓએ કર્યો હતો હુમલો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 માં થયેલ આતંકી હુમલા માં શહીદ થયેલ દેશ ના વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ વિધાર્થીઓને શિક્ષણની સાથે દેશ પ્રેમ અને સમર્પણ નો ભાવ જગાડવાની પણ સતત પ્રયાસ કરે છે અને તેના ભાગરુપે અવાર નવાર વિધાર્થીઓ દેશ પ્રત્યે પોતાની જવાબદારી સમજી શકે તે માટે દેશ ભક્તિ ના અનેક કાર્યક્રમો નુ આયોજન કરાતુ હોય છે, ત્યારે હસ્તેશ્વર સ્કૂલ ના વિધાર્થીઓ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 મા પુલવા મા થયેલ આતંકવાદી હુમલામા દેશ ના શહીદ થયેલા વીર જવાનો ને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શાળા ના આચાર્ય દ્વારા શહીદ થયેલા વિરલાઓને યાદ કરી  આપણા દેશ ની રક્ષા કરવામાં સૈનિકો નું મહત્વ અને યોગદાન વિશે બાળકોને સમજણ આપી હતી. હસ્તેશ્વર સ્કૂલ ના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ વિધાર્થીઓનો શિક્ષણ ની સાથે દરેક ક્ષેત્ર મા આગલી હરોળમા રહે તે માટે સતત શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24