Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

ગાંધીનગરથી દાહોદ જિલ્લાની બિનસરકારી શાળાઓનું ઓડિટ કરવા આવેલી ટીમે મોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી ઓડિટ ટીમે શાળાઓ પાસેથી અનધિકૃત નાણાંની ઉઘરાણી કરી હોવાની ચર્ચાઓ શિક્ષક જગતમા જોરશોરથી સાંભળવા મળી રહી છે.
ઓડીટ ટીમને જિલ્લાની કુલ 194થી વધુ શાળાઓનું ઓડિટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમાં ફતેપુરા તાલુકાની 24, ઝાલોદ અને સંજેલી તાલુકાની 48, ધાનપુર-લીમખેડા-સીંગવડ તાલુકાની 45, દેવગઢ બારીયા તાલુકાની 32, ગરબાડા તાલુકાની 15 અને દાહોદ તાલુકાની 30થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે.
શિક્ષક જગતમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ઓડિટ ટીમે દરેક વર્ગ દીઠ ₹500ની ઉઘરાણી કરી છે. નવા નિમાયેલા શિક્ષકો પાસેથી ₹1500થી ₹2000 સુધીની રકમ માંગવામાં આવ્યા છે. પૂરો પગાર મેળવતા શિક્ષકો પાસેથી ₹2000ની ઉઘરાણી કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ છે.
શિક્ષણ જગતના બાતમીદાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એક શાળામાં પૈસાની લેવડ-દેવડનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો મીડિયાના પત્રકાર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. જો આ વીડિયો સાર્વજનિક થશે તો શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી શકે છે. ત્યારે હવે સમગ્ર અહેવાલ ટુક સમયમા જ પ્રસારીત થાય તેવી અટકળો ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત