Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

ગાંધીનગરથી દાહોદ જિલ્લાની બિનસરકારી શાળાઓનું ઓડિટ કરવા આવેલી ટીમે મોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી ઓડિટ ટીમે શાળાઓ પાસેથી અનધિકૃત નાણાંની ઉઘરાણી કરી હોવાની ચર્ચાઓ શિક્ષક જગતમા જોરશોરથી સાંભળવા મળી રહી છે.
ઓડીટ ટીમને જિલ્લાની કુલ 194થી વધુ શાળાઓનું ઓડિટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમાં ફતેપુરા તાલુકાની 24, ઝાલોદ અને સંજેલી તાલુકાની 48, ધાનપુર-લીમખેડા-સીંગવડ તાલુકાની 45, દેવગઢ બારીયા તાલુકાની 32, ગરબાડા તાલુકાની 15 અને દાહોદ તાલુકાની 30થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે.
શિક્ષક જગતમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ઓડિટ ટીમે દરેક વર્ગ દીઠ ₹500ની ઉઘરાણી કરી છે. નવા નિમાયેલા શિક્ષકો પાસેથી ₹1500થી ₹2000 સુધીની રકમ માંગવામાં આવ્યા છે. પૂરો પગાર મેળવતા શિક્ષકો પાસેથી ₹2000ની ઉઘરાણી કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ છે.
શિક્ષણ જગતના બાતમીદાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એક શાળામાં પૈસાની લેવડ-દેવડનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો મીડિયાના પત્રકાર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. જો આ વીડિયો સાર્વજનિક થશે તો શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી શકે છે. ત્યારે હવે સમગ્ર અહેવાલ ટુક સમયમા જ પ્રસારીત થાય તેવી અટકળો ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

ફતેપુરાના મોટાનટવા ખાતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24