Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

ગાંધીનગરથી દાહોદ જિલ્લાની બિનસરકારી શાળાઓનું ઓડિટ કરવા આવેલી ટીમે મોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી ઓડિટ ટીમે શાળાઓ પાસેથી અનધિકૃત નાણાંની ઉઘરાણી કરી હોવાની ચર્ચાઓ શિક્ષક જગતમા જોરશોરથી સાંભળવા મળી રહી છે.
ઓડીટ ટીમને જિલ્લાની કુલ 194થી વધુ શાળાઓનું ઓડિટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આમાં ફતેપુરા તાલુકાની 24, ઝાલોદ અને સંજેલી તાલુકાની 48, ધાનપુર-લીમખેડા-સીંગવડ તાલુકાની 45, દેવગઢ બારીયા તાલુકાની 32, ગરબાડા તાલુકાની 15 અને દાહોદ તાલુકાની 30થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે.
શિક્ષક જગતમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ઓડિટ ટીમે દરેક વર્ગ દીઠ ₹500ની ઉઘરાણી કરી છે. નવા નિમાયેલા શિક્ષકો પાસેથી ₹1500થી ₹2000 સુધીની રકમ માંગવામાં આવ્યા છે. પૂરો પગાર મેળવતા શિક્ષકો પાસેથી ₹2000ની ઉઘરાણી કરવામાં આવી હોવાની વાતો વહેતી થઈ છે.
શિક્ષણ જગતના બાતમીદાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એક શાળામાં પૈસાની લેવડ-દેવડનો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આ વીડિયો મીડિયાના પત્રકાર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી રહી છે. જો આ વીડિયો સાર્વજનિક થશે તો શિક્ષણ જગતમાં મોટો ખળભળાટ મચી શકે છે. ત્યારે હવે સમગ્ર અહેવાલ ટુક સમયમા જ પ્રસારીત થાય તેવી અટકળો ચાલી રહી છે.

સંબંધિત પોસ્ટ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24