Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

  • દાહોદ જીલ્લા ને ઉતમથી સવૉતમ તરફથી લઇ જવુ છે: મંત્રી કુબેરભાઇ ડીંડોર
  • દાહોદ જીલ્લાની છ એ છ વિધાનસભા મા જન સમથઁન યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
  • Advertisement
  • દાહોદ જીલ્લા મા જન સમથઁન યાત્રા અંતગઁત ઠેર ઠેર કરવામા આવતુ સ્વાગત અને જાહેર સભાઓ યોજાઈ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.01
ગુજરાત સરકાર મા નવા વરાયેલ મંત્રી કુંબેરભાઇ ડીંડોર નુ આજરોજ દાહોદ જીલ્લા ની ધરતી પર ગામે ગામ જન સમથઁન યાત્રા નિમિતે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ આ પ્રંસગે તેમની સાથે દાહોદ જીલ્લાના સાસંદ જસવતસિહ ભાભોર,દાહોદ જીલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આમલીયાર,દાહોદના પ્રભારી પપ્પુભાઇ પાઠક,જીલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાધેલા, એસ ટી મોરચાના પ્રમુખ ડૉ અશ્ર્વિનભાઇ પારગી સહિત મોટી સંખ્યા મા મહાનુભાવો ભાજપ કાયઁકરો જોડાયા હતા જન સમથઁન યાત્રા પ્રસગે ફતેપુરા ઝાલોદ લીમડી દાહોદ, ગરબાડા લીમખેડા, દેવગઢ બારીઆ વિગેરે ગામોમા સભા યોજાઇ હતી.

સભા મા નવા વરાયેલ મંત્રી કુબેરભાઇ ડીંડોરે જાહેરસભા પહેલા ભારત માતા કી જય ગુરુગોવિદકી જય કંબોઇ ધામ કી જય ના નારાઓ લગાવી જાહેર સભા સંબોધી ક્રોગ્રેસની પાટીઁ ને આડેહાથ લઇ ક્રોગેસ ની સરકાર મા લોકો ને પાણી મળયુ નથી ભાજપની સરકાર મા લોકોને કડાણા જળાશય યોજના મારફતે લોકો ને પીવાનુ પાણી પુરુ પાડવામા આવી રહ્યુ છે શિક્ષણ પાયાની સુવિધા છે શિક્ષણ થી જ બાળકોનુ જીવન ધડતર થશે નવિન શિક્ષણ નીતી નો અમલ કરવાનો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબુત કરવાનુ કહી સમાજને ગેરમાગઁ દોરનારા અને ગુમરાહ કરનાર લોકોથી દૂર રહેવાનુ કહી ગામે ગામ લોકોના આશીવાઁદ લેવા આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ
દાહોદ સાસંદ જસવંતસિહ ભાભોરે પણ જાહેર સભાને સંબોધી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર ની વિકાસ ગાથા રજુ કરી હતી સાથે દેશ મા નરેન્દ્રભાઇ મોદી ની સરકારે આદિવાસી ની ચિતા કરી છે આદિવાસી ઓ ને રાજ્ય પાલ,રાજ્ય સભા ના સાસંદ,કેન્દ્રીય મંત્રી ઓ અને સોવથી વધારે ગુજરાત મા મંત્રીઓ બનાવ્યા હોવાનુ કહી ગોરવની વાત કરી આવનાર સમય મા દાહોદ ની છ એ છ વિધાનસભા સીટો જીતાડવા હાંકલ કરી હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ગુજરાત વિભાનસભાની ચુંટણીની થઈ શકે છે જાહેરાત: જાણો ચુંટણીની સંભવિત તારીખો

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24