Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

લીમખેડા માં ત્રણ દિવસનુ સ્વૈચ્છિક સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું

શુક્ર-શનિ-રવી ત્રણ દિવસ ગામ સંપુર્ણ બંધ રહેશે

લીમખેડા સરપંચે વેપારીઓ સાથે બેઠક યોજી લીધો નિર્ણય

લીમખેડા મા કોરોના નું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

દુધ ની દુકાનો સવારે 06:00 થી 10:00 અને સાજે 4:00 થી 06:00 ખુલ્લી રહેશે

જ્યારે મેડીકલ સ્ટોર અને દવાખાના ખુલ્લા રહેશ

 

દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો માં કોરોના નો કહેર વધતા ગામો બન્યા સતર્ક બન્યા છે ત્યારે દાહોદ જીલ્લાના લીમખેડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ સંપૂર્ણ બજાર બંધ નો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને આજે લીમખેડા ગામ ના સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને લોકડાઉન ને સંપુર્ણ સફળ બનાવ્યું હતું.

દાહોદ જીલ્લાનું લીમખેડા ગામ કે જે તાલુકા મથકનુ ગામ હોવાના કારણે આજુ બાજુંના ગામડાઓના લોકો પણ વેપાર કરવા માટે લીમખેડા ગામમાં આવતા હોય છે, જેને કારણે ગામમાં ખુબ ભીડ વધવા ના કારણે લીમખેડા ગામમાં કોરોના ના કેસોમાં પણ વધારો જણાતા ગ્રામ પંચાયત સતર્ક બની હતી અને લીમખેડા સરપંચે ગામના વેપારીઓ સાથે કોરોના સંક્રમણ બાબતે બેઠક યોજી હતી જે બેઠકમાં લીમખેડા ગામ સ્વૈચ્છિક રીતે અઠવાડિયા ના શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે લીમખેડા ગામ ના સંપૂર્ણ બજારો આજે સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા હતા અને હજી આગામી બે દિવસ સુધી સંપૂર્ણ બજારો કડક પણે બંધ રાખવામાં આવશે જો કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરનાર સામે દંડનિય કાર્યવાહી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

54મો દાહોદ જિલ્લા યુવા ઉત્સવ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાની ઉપસ્થિતિમાં સીંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે યોજાયો

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

ગુજરાત રાજયમાં ડ્રગ્સની હેરાફેરી વધતા સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર 1908 જાહેર કરાયો: ફોન કરી આપી શકાશે ડ્રગ્સ માફિયાઓની માહિતી

Panchayat Samachar24