Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

લીમખેડા માં ત્રણ દિવસનુ સ્વૈચ્છિક સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું

શુક્ર-શનિ-રવી ત્રણ દિવસ ગામ સંપુર્ણ બંધ રહેશે

લીમખેડા સરપંચે વેપારીઓ સાથે બેઠક યોજી લીધો નિર્ણય

લીમખેડા મા કોરોના નું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

દુધ ની દુકાનો સવારે 06:00 થી 10:00 અને સાજે 4:00 થી 06:00 ખુલ્લી રહેશે

જ્યારે મેડીકલ સ્ટોર અને દવાખાના ખુલ્લા રહેશ

 

દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો માં કોરોના નો કહેર વધતા ગામો બન્યા સતર્ક બન્યા છે ત્યારે દાહોદ જીલ્લાના લીમખેડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ સંપૂર્ણ બજાર બંધ નો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને આજે લીમખેડા ગામ ના સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને લોકડાઉન ને સંપુર્ણ સફળ બનાવ્યું હતું.

દાહોદ જીલ્લાનું લીમખેડા ગામ કે જે તાલુકા મથકનુ ગામ હોવાના કારણે આજુ બાજુંના ગામડાઓના લોકો પણ વેપાર કરવા માટે લીમખેડા ગામમાં આવતા હોય છે, જેને કારણે ગામમાં ખુબ ભીડ વધવા ના કારણે લીમખેડા ગામમાં કોરોના ના કેસોમાં પણ વધારો જણાતા ગ્રામ પંચાયત સતર્ક બની હતી અને લીમખેડા સરપંચે ગામના વેપારીઓ સાથે કોરોના સંક્રમણ બાબતે બેઠક યોજી હતી જે બેઠકમાં લીમખેડા ગામ સ્વૈચ્છિક રીતે અઠવાડિયા ના શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે લીમખેડા ગામ ના સંપૂર્ણ બજારો આજે સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા હતા અને હજી આગામી બે દિવસ સુધી સંપૂર્ણ બજારો કડક પણે બંધ રાખવામાં આવશે જો કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરનાર સામે દંડનિય કાર્યવાહી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24