Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

લીમખેડા માં ત્રણ દિવસનુ સ્વૈચ્છિક સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું

શુક્ર-શનિ-રવી ત્રણ દિવસ ગામ સંપુર્ણ બંધ રહેશે

લીમખેડા સરપંચે વેપારીઓ સાથે બેઠક યોજી લીધો નિર્ણય

લીમખેડા મા કોરોના નું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

દુધ ની દુકાનો સવારે 06:00 થી 10:00 અને સાજે 4:00 થી 06:00 ખુલ્લી રહેશે

જ્યારે મેડીકલ સ્ટોર અને દવાખાના ખુલ્લા રહેશ

 

દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારો માં કોરોના નો કહેર વધતા ગામો બન્યા સતર્ક બન્યા છે ત્યારે દાહોદ જીલ્લાના લીમખેડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ સંપૂર્ણ બજાર બંધ નો નિર્ણય કરવામાં આવ્યો હતો જેને લઈને આજે લીમખેડા ગામ ના સ્થાનિક વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને લોકડાઉન ને સંપુર્ણ સફળ બનાવ્યું હતું.

દાહોદ જીલ્લાનું લીમખેડા ગામ કે જે તાલુકા મથકનુ ગામ હોવાના કારણે આજુ બાજુંના ગામડાઓના લોકો પણ વેપાર કરવા માટે લીમખેડા ગામમાં આવતા હોય છે, જેને કારણે ગામમાં ખુબ ભીડ વધવા ના કારણે લીમખેડા ગામમાં કોરોના ના કેસોમાં પણ વધારો જણાતા ગ્રામ પંચાયત સતર્ક બની હતી અને લીમખેડા સરપંચે ગામના વેપારીઓ સાથે કોરોના સંક્રમણ બાબતે બેઠક યોજી હતી જે બેઠકમાં લીમખેડા ગામ સ્વૈચ્છિક રીતે અઠવાડિયા ના શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ સંપુર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે લીમખેડા ગામ ના સંપૂર્ણ બજારો આજે સ્વૈચ્છિક રીતે બંધ રહ્યા હતા અને હજી આગામી બે દિવસ સુધી સંપૂર્ણ બજારો કડક પણે બંધ રાખવામાં આવશે જો કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરનાર સામે દંડનિય કાર્યવાહી પણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે.

સંબંધિત પોસ્ટ

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24