Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

  • ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં
  • શહેર ના તમામ વિસ્તારો માં ઘરે ઘરે બીમારી ના ખાટલા
  • Advertisement
  • સરકારી ઝાયડ્સ તેમજ ખાનગી દવાખાનાઓ માં લાંબી કતારો
  • શહેર વાસીઓ વાયરલ ફીવર ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
વરસાદ ની ઋતુ હવે પૂર્ણ થવાની નજીક છે તેમ છતાંય દાહોદ શહેર ના રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યુ છે જે ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ અનહદ રીતે વધ્યો છે જેના કારણે દાહોદ શહેર રોગ ચાળા ના ખપ્પર માં છે ચોતરફ ગંદકી ખાલી પડેલા ખુલ્લા પ્લોટો માં લોકો દ્વારા પણ નખાતા કચરા ના કારણે પણ રોગચાળો ફાટી નીકળ્યો છે શહેર ના ખાનગી દવાખાના તેમજ સરકારી ઝાયડ્સ દવાખાનું પણ દર્દીઓ થી ઉભરાય છે તો બીજી તરફ સ્વચ્છ ભારત મિશન ના પણ લીરેલીરા ઉડતા જોવાય છે લોકો બીમારી ના કારણે આર્થિક તેમજ શારીરિક રીતે નુકશાન વેઠી રહ્યા છે દાહોદ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારો માં ફોગીંગ કરવામાં આવે છે તેમજ દવાઓ પણ છાંટવામાં આવે છે જોકે હાલ પણ અનેક વિસ્તારો આ સુવિધાથી વંચિત છે શહેર ના અનેક વિસ્તારો આજે પણ ભૂગર્ભ ગટર થી વંચિત છે જેથી ખુલ્લી ગટરો ના કારણે પણ મચ્છરો ની ત્રાસ અસહ્ય બન્યો છે જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આવી ખુલ્લી ગટરો ની સફાઈ હાથ ધરી દવાઓ છાંટવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે નગરપાલિકા નું આરોગ્ય વિભાગ સમગ્ર શહેર માં યુદ્ધ ના ધોરણે જો કામગીરી કરે તો શહેરી જનો ને આર્થિક તેમજ શારીરિક પાયમાલી માંથી બચાવી શકાય તેમ છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24