Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

  • લીમડી થી ચાકલીયા હાઈવે ઉપર યુવક ની હત્યા
  • લીલવાઠાકોર ગામ નજીક હાઇવે ઉપર કરાઈ હત્યા
  • Advertisement
  • ૪૦ વર્ષીય યુવક ની તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી કરાઈ યુવક ની હત્યા
  • અજાણ્યા ઈસમો દ્વારા યુવક ને માથા અને હાથ ઉપર તીક્ષ્ણ હથિયાર મારી કરી હત્યા
  • યુવક લીમડી પોલીસ મથક મા હોમગાર્ડ મા ફરજ બજાવતો હતો
  • હત્યા ને પગલે પોલીસ તપાસ મા જોતરાઈ
  • લીમડી પોલીસ હત્યારા નુ પગેરૂ મેળવવા ડોગ સ્કવોડ એફ. એસ. એલ ની મદદ થી તપાસ હાથ ધરી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ઝાલોદ તાલુકા ના લીમડી થી ચાકલીયા ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર લીલવાઠાકોર ગામ ની સીમ માં ૪૦ વર્ષીય યુવક ની મોઢા તેમજ હાથ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા મારી કરપીણ હત્યા  ને પગલે પોલીસ તપાસ માં જોતરાઈ હતી.
ઝાલોદ તાલુકા ના લીમડી નજીક દેપાડા ગામ ના સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ના ઓ ગત તારીખ ૩૦-૯-૨૦૨૧ ના સાંજે ઘરે થી ભજન મંડળી કરવા જાવ છું તેમ કહી ઘરે થી નીકળ્યા હતા ,તેઓ સવાર સુધી પર ન આવતા તેમના પત્ની એ મોબાઈલ ઉપર ફોન કરતાં મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો ,જેને લઈ ને એ તેમના પત્ની એ તેના પરિવાર ને જાણ કરી અને પરીવાર જનો એ શોધખોળ આદરી હતી તે દરમિયાન પરિવારજનો એ સુનિલ ને સોધતાં લીમડી ના ચાકલિયા રોડ ઉપર જતાં હતા તે દરમિયાન લીલવાઠાકોર ગામે હાઇવે ઉપર સુનિલ ભાઈ ની બાઇક મળી આવી હતી અને બાઇક ઉપર ખૂન ના નિશાન જોવાતા પરિવારજન ચિંતા માં આવી ગયા અને શોધખોળ શરૂ કરી તો બાઇક થી ૨૦૦ ફૂટ દૂર સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ને મોઢા,હાથ તેમજ પીઠ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા ઝનીકી હત્યા કરેલી તેમની લાશ મળી આવતા પરિવાર જાણ ડઘાઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી
 મૃતક ના ભાઈ અનિલ પરમારે લીમડી પોલીસ ને જાણ કરતાં લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ ને પી.એમ અર્થે ખસેડી હતી ત્યારે પોલીસે ઘટના ઘટના ની ગંભીરતા ને પગલે ડોગ સ્કવોડ અને એફ. એસ. એલ ની મદદ લઈ ને ઘટના નું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી
મૃતક ઘરે થી ભજન મંડળી માં જાવ છું તેમ કહી નીકળ્યો અને તેને મોત મળ્યું , યુવક લીમડી પોલીસ સ્ટેશન માં રાત્રી દરમિયાન હોમગાર્ડ ની પણ ફરજ બજાવતો હતો , ત્યારે આયુવક ની હત્યા કેમ અને શું કામ અને કયા કારણોસર હત્યા કરવામાં આવી તે દીશા માં તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

Panchayat Samachar24