Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

  • લીમડી થી ચાકલીયા હાઈવે ઉપર યુવક ની હત્યા
  • લીલવાઠાકોર ગામ નજીક હાઇવે ઉપર કરાઈ હત્યા
  • Advertisement
  • ૪૦ વર્ષીય યુવક ની તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી કરાઈ યુવક ની હત્યા
  • અજાણ્યા ઈસમો દ્વારા યુવક ને માથા અને હાથ ઉપર તીક્ષ્ણ હથિયાર મારી કરી હત્યા
  • યુવક લીમડી પોલીસ મથક મા હોમગાર્ડ મા ફરજ બજાવતો હતો
  • હત્યા ને પગલે પોલીસ તપાસ મા જોતરાઈ
  • લીમડી પોલીસ હત્યારા નુ પગેરૂ મેળવવા ડોગ સ્કવોડ એફ. એસ. એલ ની મદદ થી તપાસ હાથ ધરી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ઝાલોદ તાલુકા ના લીમડી થી ચાકલીયા ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર લીલવાઠાકોર ગામ ની સીમ માં ૪૦ વર્ષીય યુવક ની મોઢા તેમજ હાથ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા મારી કરપીણ હત્યા  ને પગલે પોલીસ તપાસ માં જોતરાઈ હતી.
ઝાલોદ તાલુકા ના લીમડી નજીક દેપાડા ગામ ના સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ના ઓ ગત તારીખ ૩૦-૯-૨૦૨૧ ના સાંજે ઘરે થી ભજન મંડળી કરવા જાવ છું તેમ કહી ઘરે થી નીકળ્યા હતા ,તેઓ સવાર સુધી પર ન આવતા તેમના પત્ની એ મોબાઈલ ઉપર ફોન કરતાં મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો ,જેને લઈ ને એ તેમના પત્ની એ તેના પરિવાર ને જાણ કરી અને પરીવાર જનો એ શોધખોળ આદરી હતી તે દરમિયાન પરિવારજનો એ સુનિલ ને સોધતાં લીમડી ના ચાકલિયા રોડ ઉપર જતાં હતા તે દરમિયાન લીલવાઠાકોર ગામે હાઇવે ઉપર સુનિલ ભાઈ ની બાઇક મળી આવી હતી અને બાઇક ઉપર ખૂન ના નિશાન જોવાતા પરિવારજન ચિંતા માં આવી ગયા અને શોધખોળ શરૂ કરી તો બાઇક થી ૨૦૦ ફૂટ દૂર સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ને મોઢા,હાથ તેમજ પીઠ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા ઝનીકી હત્યા કરેલી તેમની લાશ મળી આવતા પરિવાર જાણ ડઘાઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી
 મૃતક ના ભાઈ અનિલ પરમારે લીમડી પોલીસ ને જાણ કરતાં લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ ને પી.એમ અર્થે ખસેડી હતી ત્યારે પોલીસે ઘટના ઘટના ની ગંભીરતા ને પગલે ડોગ સ્કવોડ અને એફ. એસ. એલ ની મદદ લઈ ને ઘટના નું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી
મૃતક ઘરે થી ભજન મંડળી માં જાવ છું તેમ કહી નીકળ્યો અને તેને મોત મળ્યું , યુવક લીમડી પોલીસ સ્ટેશન માં રાત્રી દરમિયાન હોમગાર્ડ ની પણ ફરજ બજાવતો હતો , ત્યારે આયુવક ની હત્યા કેમ અને શું કામ અને કયા કારણોસર હત્યા કરવામાં આવી તે દીશા માં તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

ભાજપ હાઈકમાન્ડ દાહોદ જિલ્લાને આપી શકે મોટી રાજકીય ભેટ, અનિલભાઈ શાહનું નામ રાજ્યસભા માટે સૌથી વધુ ચર્ચામાં, સોશિયલ મીડિયા પર સમર્થનમાં પોસ્ટરો વાયરલ

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24