Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

  • ગુજરાત સરકાર ના પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓને બઢતીની આશા
  • નવિન સરકાર ક્યારે બઢતી આપશે તેના પર સૌ સિનિયર કર્મચારીઓની નજર
  • Advertisement
  • અનેક સિનિયર કર્મચારીઓ નિવૃતિ ના આરે હોવા છતા બઢતી નહિ અપાતા કર્મચારીઓમા રોષ
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.29
ગુજરાત સરકાર મા નવા મંત્રી મંડળની રચના થયા બાદ પ્રજાજનોની અનેક અપેક્ષાઓ આ નવિન મંત્રી મંડળ જોડે જોડાયેલી છે જો કે આ અપેક્ષાઓ મા આ મંત્રી મંડળ ખરુ ઉતરશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન છે. જોકે હાલ સરકારના પંચાયત વિભાગ મા ફરજ બજાવતા અનેક સિનિયર કર્મચારીઓ બઢતીની રાહ જોઈને બેઠા છે, પંચાયત વિભાગના અનેક સિનિયર કર્મચારીઓ સામે માત્ર 84 સિનિયર કર્મચારીઓને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, પંચાયત વિભાગની ડી.પી.સી. મા માત્ર 84 કર્મચારીઓ ને જ તાલુકા વિકાસ અધિકારી તરીકેની બઢતી આપવામા આવી છે, ત્યાર બાદ આશ્ચર્યજનક રીતે માત્ર એક જ કર્મચારીને બઢતીનો હુકમ સરકાર દ્વારા કરવામા આવ્યો છે, આ બાબતને લઈને અનેક સિનિયર કર્મચારીઓ કે જે બઢતી થી વંચિત રહેલા છે તેઓન પણ નારાજગી વ્યાપી જવા પામી છે, નિવૃતિની નજીક આવેલા કર્મચારીઓને બઢતી મામલે સરકાર દ્વારા અન્યાય થતો હોવાનુ સ્પષ્ટપણે જણાય છે, અને સરકારની મંછા સામે પણ અને સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવાનુ એ રહેશે કે ગુજરાત ની નવિ સરકારના મુખ્યમંત્ર અને નવુ મંત્રી મંડળ આ સમગ્ર પ્રકરણ મા ગમેતેવા સંજોગોમા પણ સરકારની પડખે ઉભા રહી કામ કરનાર આ પંચાયત વિભાગ ના સિનિયર કર્મચારીઓને ન્યાય આપવામા સફળ થશે કે કેમ તે જોવાનુ રહેશે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24