Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને ખાતર-બિયારણ સહાય વિતરણનો શુભારંભ કરાવ્યો
  • કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર આદિવાસી ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય
  • Advertisement
  • મંત્રી  બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે લાભાર્થી ખેડૂતોને કિટ્સ વિતરણ કર્યું
  • ગત ચાર વર્ષમાં જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી
દાહોદ, તા. ૨૨ :
દાહોદ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આ વર્ષે ખાતર-બિયારણ કિટસ વિતરણનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સેવા સદન ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા અને ખેડૂતોને કિટસનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની આ વર્ષે સહાય મળશે.

મંત્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ છે. આ વર્ષે પણ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય કરવામાં આવશે. જેનો શુભારંભ આજથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો છે. ખેડૂતોને રૂ. ૧૯૫૭ની કિમતનું ૪૫ કિલો યુરિયા, ૫૦ કિલો ઓર્ગેનિક ખાતર અને ૪ કિલો મકાઇનું બિયારણ આપવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતનો ફાળો રૂ. ૨૫૦ નો રહેશે. જિલ્લાના ૩૫ હજાર ખેડૂતોને આ ખાતર-બિયારણ પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ખેતી સમૃદ્ધ તો ખેડૂત સમૃદ્ધ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેઓ જયારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે આદિવાસી લોકોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આ યોજનાના પરિણામે દાહોદના ખેડૂતો સમૃદ્ધિ અને વિકાસના માર્ગે આગળ વધ્યા છે. છેલ્લા ચાર વર્ષની જ વાત કરીએ તો દાહોદ જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી છે અને આ વર્ષે પણ ૩૫ હજાર ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે.
મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ લાભાર્થી ખેડૂતોને ખાતર-બિયારણના વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે યોજનાના અધિકારીઓને સૂચના આપી હતી. કોરોના પ્રોટોકોલ સાથે તમામ ખાતર-બિયારણનું સુવ્યવસ્થિત વિતરણ થાય અને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેની કાળજી રાખવા તેમણે સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિનામા, ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ, જીએસએફસી એગ્રોટેકના અધિકારી તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની કરાઈ જાહેરાત: ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને કલ્યાણ સિંહને મરણોપરાંત પદ્મવિભૂષણ, સ્વામિ સચ્ચિદાનંદ પદ્મભૂષણથી સન્માનિત કરાશે

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24