Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને ખાતર-બિયારણ સહાય વિતરણનો શુભારંભ કરાવ્યો
  • કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર આદિવાસી ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય
  • Advertisement
  • મંત્રી  બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે લાભાર્થી ખેડૂતોને કિટ્સ વિતરણ કર્યું
  • ગત ચાર વર્ષમાં જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી
દાહોદ, તા. ૨૨ :
દાહોદ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આ વર્ષે ખાતર-બિયારણ કિટસ વિતરણનો શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સેવા સદન ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા અને ખેડૂતોને કિટસનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની આ વર્ષે સહાય મળશે.

મંત્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ છે. આ વર્ષે પણ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય કરવામાં આવશે. જેનો શુભારંભ આજથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો છે. ખેડૂતોને રૂ. ૧૯૫૭ની કિમતનું ૪૫ કિલો યુરિયા, ૫૦ કિલો ઓર્ગેનિક ખાતર અને ૪ કિલો મકાઇનું બિયારણ આપવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતનો ફાળો રૂ. ૨૫૦ નો રહેશે. જિલ્લાના ૩૫ હજાર ખેડૂતોને આ ખાતર-બિયારણ પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ખેતી સમૃદ્ધ તો ખેડૂત સમૃદ્ધ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેઓ જયારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે આદિવાસી લોકોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આ યોજનાના પરિણામે દાહોદના ખેડૂતો સમૃદ્ધિ અને વિકાસના માર્ગે આગળ વધ્યા છે. છેલ્લા ચાર વર્ષની જ વાત કરીએ તો દાહોદ જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી છે અને આ વર્ષે પણ ૩૫ હજાર ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે.
મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ લાભાર્થી ખેડૂતોને ખાતર-બિયારણના વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે યોજનાના અધિકારીઓને સૂચના આપી હતી. કોરોના પ્રોટોકોલ સાથે તમામ ખાતર-બિયારણનું સુવ્યવસ્થિત વિતરણ થાય અને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેની કાળજી રાખવા તેમણે સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિનામા, ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખ, જીએસએફસી એગ્રોટેકના અધિકારી તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24