Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

  • વાંદરિયા પ્રાથમિક શાળાના રુમનુ તાળુ તોડી તસ્કરોએ રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની કરી ચોરી
  • કોમ્પ્યુટર, સીપીયુ, મોનીટર તેમજ પ્રિન્ટર ની ચોરી કરી તસ્કરો ફરાર
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામા ચોર ટોળકીએ રુમનુ  તોડી રુમમા મુકેલા કોમ્પ્યુટરનુ સીપીયુ-૧, LCD મોનીટર-૬, CRT મોનીટર-૧, પ્રિન્ટર-૧ સહિતના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રથમિક શાળાના રુમનુ તાળુ તોડી ગત તા.૦૧/૧૦/૨૦૨૧ માં રોજ રાત્રી ના સમય દરમિયાન તસ્કરોએ હથિયાર થી એક રૂમ નું તાળું તોડી અંદર પ્રવેશી રુમમાં રહેલા કોમ્પ્યુટરં ન સી.પી.યુ, નંગ -૧, HCL કંપની ના એલ સી ડી નંગ -૦૬ , CRT મોનીટર નંગ – ૦૧ તેમજ HP કંપની નું પ્રિન્ટર નંગ – ૦૧ મળી કુલ ૨૦૫૦૦/- કિમંત ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેની જાણ તા.૦૧/૦/૧૦/૨૦૨૧ ના રોજ સવારે શાળા ખોલવા ના સમયે સવારે ૧૦:૩૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન શાળા એ પહોંચી વિદ્યાર્થી તથા શિક્ષક વહેલી સવારે ઓફિસ ના તાળા તૂટેલી હાલત માં તથા કોમ્પ્યુટર ચોરાયેલા જણાતા શાળાના શિક્ષક ધારજીભાઈ મડિયાભાઈ પારગી ( રહે જલઈ તા.ફતેપુરા જિલ્લો.દાહોદ) એ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે હાલ તો ફરીયાદ દાખલ કરી તસ્કરોનુ પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા નગર મા સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામા તંત્ર નિષ્ફળ: તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

લીમખેડાની નૂત્તન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ: વિધાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ: વિજેતા વિધાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા

Panchayat Samachar24