Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

  • વાંદરિયા પ્રાથમિક શાળાના રુમનુ તાળુ તોડી તસ્કરોએ રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની કરી ચોરી
  • કોમ્પ્યુટર, સીપીયુ, મોનીટર તેમજ પ્રિન્ટર ની ચોરી કરી તસ્કરો ફરાર
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામા ચોર ટોળકીએ રુમનુ  તોડી રુમમા મુકેલા કોમ્પ્યુટરનુ સીપીયુ-૧, LCD મોનીટર-૬, CRT મોનીટર-૧, પ્રિન્ટર-૧ સહિતના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રથમિક શાળાના રુમનુ તાળુ તોડી ગત તા.૦૧/૧૦/૨૦૨૧ માં રોજ રાત્રી ના સમય દરમિયાન તસ્કરોએ હથિયાર થી એક રૂમ નું તાળું તોડી અંદર પ્રવેશી રુમમાં રહેલા કોમ્પ્યુટરં ન સી.પી.યુ, નંગ -૧, HCL કંપની ના એલ સી ડી નંગ -૦૬ , CRT મોનીટર નંગ – ૦૧ તેમજ HP કંપની નું પ્રિન્ટર નંગ – ૦૧ મળી કુલ ૨૦૫૦૦/- કિમંત ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેની જાણ તા.૦૧/૦/૧૦/૨૦૨૧ ના રોજ સવારે શાળા ખોલવા ના સમયે સવારે ૧૦:૩૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન શાળા એ પહોંચી વિદ્યાર્થી તથા શિક્ષક વહેલી સવારે ઓફિસ ના તાળા તૂટેલી હાલત માં તથા કોમ્પ્યુટર ચોરાયેલા જણાતા શાળાના શિક્ષક ધારજીભાઈ મડિયાભાઈ પારગી ( રહે જલઈ તા.ફતેપુરા જિલ્લો.દાહોદ) એ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે હાલ તો ફરીયાદ દાખલ કરી તસ્કરોનુ પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી