Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

  • વાંદરિયા પ્રાથમિક શાળાના રુમનુ તાળુ તોડી તસ્કરોએ રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની કરી ચોરી
  • કોમ્પ્યુટર, સીપીયુ, મોનીટર તેમજ પ્રિન્ટર ની ચોરી કરી તસ્કરો ફરાર
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ફતેપુરા તાલુકાના વાંદરીયા પ્રાથમિક શાળામા ચોર ટોળકીએ રુમનુ  તોડી રુમમા મુકેલા કોમ્પ્યુટરનુ સીપીયુ-૧, LCD મોનીટર-૬, CRT મોનીટર-૧, પ્રિન્ટર-૧ સહિતના મુદ્દામાલ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રથમિક શાળાના રુમનુ તાળુ તોડી ગત તા.૦૧/૧૦/૨૦૨૧ માં રોજ રાત્રી ના સમય દરમિયાન તસ્કરોએ હથિયાર થી એક રૂમ નું તાળું તોડી અંદર પ્રવેશી રુમમાં રહેલા કોમ્પ્યુટરં ન સી.પી.યુ, નંગ -૧, HCL કંપની ના એલ સી ડી નંગ -૦૬ , CRT મોનીટર નંગ – ૦૧ તેમજ HP કંપની નું પ્રિન્ટર નંગ – ૦૧ મળી કુલ ૨૦૫૦૦/- કિમંત ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેની જાણ તા.૦૧/૦/૧૦/૨૦૨૧ ના રોજ સવારે શાળા ખોલવા ના સમયે સવારે ૧૦:૩૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન શાળા એ પહોંચી વિદ્યાર્થી તથા શિક્ષક વહેલી સવારે ઓફિસ ના તાળા તૂટેલી હાલત માં તથા કોમ્પ્યુટર ચોરાયેલા જણાતા શાળાના શિક્ષક ધારજીભાઈ મડિયાભાઈ પારગી ( રહે જલઈ તા.ફતેપુરા જિલ્લો.દાહોદ) એ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે હાલ તો ફરીયાદ દાખલ કરી તસ્કરોનુ પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24