Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

  • દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન, ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ
  • કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખથી વધુ, ૯૩.૩૮ ટકા લોકોને રસીકરણ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર૨૪, તા.૨૭
દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન સર કર્યું છે. દાહોદ જિલ્લાના ૬૯૬ ગામોમાંથી ૫૯૬ ગામો ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થતાં કોરોનાથી સુરક્ષિત બન્યા છે. જિલ્લામાં કોરોના વેક્સિન લેનારાની કુલ ટકાવારી જોઇએ તો ૯૩.૯૮ ટકા થઇ છે. દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિન માટે લાયક કુલ ૧૫,૩૭,૭૩૭ લોકોમાંથી ૧૪,૪૫,૨૧૫ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જયારે ૪,૯૪,૦૨૧ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લાનાં જે ગામોમાં કોરોના વેક્સિનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે તેની વિગતો જોઇએ તો દાહોદનાં ૮૬, ગરબાડાના ૩૩, ધાનપુરનાં ૬૦, દેવગઢ બારીયાનાં ૭૫, ફતેપુરના ૫૨, લીમખેડાના ૮૧, સીંગવડનાં ૬૫, ઝાલોદનાં ૮૯, સંજેલીના ૫૫ ગામોમાં વેક્સિનને લાયક નાગરિકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24