Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

  • દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન, ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ
  • કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખથી વધુ, ૯૩.૩૮ ટકા લોકોને રસીકરણ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર૨૪, તા.૨૭
દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન સર કર્યું છે. દાહોદ જિલ્લાના ૬૯૬ ગામોમાંથી ૫૯૬ ગામો ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થતાં કોરોનાથી સુરક્ષિત બન્યા છે. જિલ્લામાં કોરોના વેક્સિન લેનારાની કુલ ટકાવારી જોઇએ તો ૯૩.૯૮ ટકા થઇ છે. દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિન માટે લાયક કુલ ૧૫,૩૭,૭૩૭ લોકોમાંથી ૧૪,૪૫,૨૧૫ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જયારે ૪,૯૪,૦૨૧ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લાનાં જે ગામોમાં કોરોના વેક્સિનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે તેની વિગતો જોઇએ તો દાહોદનાં ૮૬, ગરબાડાના ૩૩, ધાનપુરનાં ૬૦, દેવગઢ બારીયાનાં ૭૫, ફતેપુરના ૫૨, લીમખેડાના ૮૧, સીંગવડનાં ૬૫, ઝાલોદનાં ૮૯, સંજેલીના ૫૫ ગામોમાં વેક્સિનને લાયક નાગરિકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની શાળાઓમાં ઓડિટ ટીમનું કૌભાંડ: વર્ગ દીઠ ₹500, નવા શિક્ષકો પાસેથી ₹2000 સુધીની ઉઘરાણી, વિડીયો પણ બન્યો હોવાની ચર્ચાઓ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24