Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

  • ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્ય તપાસ કરી
  • સગર્ભાઓને સુપોષિત કરાશે,આધાર, આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવશે
  • Advertisement
  • દાહોદમાં બાળ કલ્યાણ સમિતિ કાચા ઝુંપડામાં વસતા ગરીબ પરિવારોની વ્હારે આવી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ શહેર તેમજ તેની આસપાસ કેટલાયે ગરીબ અને નિરાધાર પરિવારો વસવાટ કરે છે.આવી જ એક વસાહત પરેલ પાસે આવેલી છે.આ વસાહતમાં આજે બાળ કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી અને બાળકોની આરોગ્ય ચકાસણી કરાવી હતી.ઉપરાંત જરુરી દસ્તાવેજો પણ આવા ગરીાબ પરિવારોને મળી રહે તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદમાં પાસે પરેલમાં મેડીકલ કોલોની પાસે એક વસાહત આવેલી છે.જેમાં કાચા મકાનોમાં ગરીબ પરિવારો રહે છે.તે પૈકીના કેટલાક લોકો ભિક્ષાવૃત્તિ કરે છે તો કેટલાક પરિવારો ફુગ્ગા કે વિવિધ પ્રકારના રમકડાં વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે.આ તમામ પરિવારોની હાલત કફોડી છે ત્યારે ઘમી વખત સેવાભાવીઓ આવા પરિવારોને જરુરી ચીજ વસ્તુઓનું દાન કરે છે પરંતુ તે તેમના માટે પુરતું હોતુ નથી.જેથી ગુજરાત સરકારની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની, બાળ સુરક્ષા વિભાગની ટીમ અને આરોગ્ય કર્મીઓએ સાગમટે આજે આ વસાહતની મુલાકાત લીધી હતી.સાૈ પ્રથમ તમામ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.તેમાંથી એક બાળકનવે હ્રદયની બીમારી હોવાનું માલુમ પડતાં તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

આ બાળકો પૈકી કેટલા બાળકો શાળાએ જાય છે તો કેટલા બાળકો શાળાએ કેમ જઇ શક્તા નથી તેની જાણકારી પણ મેળવી તમામ બાળકો શિક્ષણ મેળવે તેની તજવીજ પણ શરુ કરવામાં આવી છે.ટીમની મુલાકાત દરમિયાન પાંચ સગર્ભાઓ પણ મળી આવી છે અને તેઓ પણ કુપોષિત છે કે કેમ અને હોય તો તેમના પોષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.કેટલાક પરિવારો પાસે જરુરી દસ્તાવેજો ન હોવાથી તેમને સરકારી યોજનાઓના લાભ મળી શક્તા નથી.જેથી તેવા પરિવારોને રેશનકાર્ડ, આધાર કાર્ડ કે આયુષ્માન યોજનાના કાર્ડ મળી રહે તેના માટે પણ સુચના આપી તેની ત્વરિત વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે તેનું ઘનિેષ્ઠ આયોજન પણ કરવામાં આવ્યુ છે.પાંચ સગર્ભાઓ પૈકી એક સગર્ભાને તેની પ્રસુતિ સુધીની દેખરેખ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીએ તેમને દત્તક લીધા છે.જેથી આ સગર્ભાને અનાજ તેમજ સારવાર માટેની જવાબદારી તેમણે સ્વીકારી લીધી છે.
આમ ગરીબ પરિવારો કેવી રીતે આત્મ નિર્ભર બને તેમજ ભિક્ષા વૃત્તિમાંથી પોતાના બાળકોને પણ બચાવી લઇ તેમને શિક્ષિત કરે તે દિશામાં બાળ કલ્યાણ સમિતિએ આજે નક્કર કામગીરીની શરુઆત કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનો શુભારંભ કરાયો

Panchayat Samachar24

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

Panchayat Samachar24

આમ આદમી પાર્ટીએ દાહોદ જિલ્લામાં શરૂ કર્યું ‘ગુજરાત જોડો સદસ્યતા અભિયાન’, 1,50,000થી વધુ સદસ્યો બનાવવાનું લક્ષ્ય, સદસ્યતા માટે 9512040404 પર મિસ કોલ કરો

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: 7 બાઈક સાથે બે આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24