Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

  • ચોમાસામાં આકાસી વીજળી પડતાં ટાવરના ઘુમ્મટ નુકશાન થયું હતું
  • ટાવરના લાકાર્પણ બાદ લાઇટિંંગ શો યોજવામાં આવ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
દેવગઢ બારિયા નગરમાં પેન્ડ્યુલીયમ ઘડીયાલ સાથેનો 1919માં નિર્માણ થયેલો ઐતિહાસિક ટાવર આવેલો છે. આ ટાવર પર વિજળી પડતાં તેના ઘુમ્મટને નુકસાન થયું હતું. જે નુકસાન થયેલ ઘુમ્મટ નુ રીપેરીંગ કરી આખા ટાવરને કલર કામ કરી ફરીથી કાર્યરત કરવામા આવ્યો  હતો. દિવાળીના દિવસે ટાવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
દેવગઢ બારિયા નગરમાં આવેલા ઐતિહાસિક ટાવરના આ વર્ષે 22 સપ્ટેમ્બરે વિજળી પડતાં ઘુમ્મટ ખંડિત થયો હતો. ઉંચાઇ તથા ચુનાનું ચણતર હોવાના કારણે રિનોવેશન માટે તેના કારીગરો મળવા ખુબ મુશ્કેલ હતા. આ બાબતે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મીબેન નીલ સોની દ્વારા દિવાળી પહેલા આ ટાવરને ફરી શરૂ કરવાની ખાતરી અપાઇ હતી. જેથી દેવગઢ બારિયાના અમદાવાદમાં કામ કરતાં મુસ્તાકભાઇ શેખ દ્વારા તેના ખાસ પ્રકારના કારીગરો બોલાવી પાલખ બાંધી 110 ફુટ ઉંચા ટાવરનું ઘુમ્મટનું રીપેરીંગ કરી તેને કલરકામ કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ટાવરની પાસે ‘આઇ લવ દેવગઢ બારિયા’નું સીમ્બોલ મુકવામાં આવ્યું હતું. આ બન્ને વસ્તુનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મીબેન નીલ સોની, ઉપપ્રમુખ ગૌરાંગભાઇ પંડ્યા તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાકાર્પણ બાદ લાઇટીંગ શો યોજવામાં આવ્યો હતો. અને લોકોએ ખુબ ભારે મોટી સંખ્યામાં આ શો નિહાળ્યો હતો અને આતશબાજી પણ કરવામાં આવી હતી. આમ દેવગઢ બારિયા નગરને ઐતિહાસિક ટાવરની લાઇટીંગ અને રંગરોગાનની ભેંટ નગરજનોને મળી હતી.

સંબંધિત પોસ્ટ

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24