Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

  • ચોમાસામાં આકાસી વીજળી પડતાં ટાવરના ઘુમ્મટ નુકશાન થયું હતું
  • ટાવરના લાકાર્પણ બાદ લાઇટિંંગ શો યોજવામાં આવ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
દેવગઢ બારિયા નગરમાં પેન્ડ્યુલીયમ ઘડીયાલ સાથેનો 1919માં નિર્માણ થયેલો ઐતિહાસિક ટાવર આવેલો છે. આ ટાવર પર વિજળી પડતાં તેના ઘુમ્મટને નુકસાન થયું હતું. જે નુકસાન થયેલ ઘુમ્મટ નુ રીપેરીંગ કરી આખા ટાવરને કલર કામ કરી ફરીથી કાર્યરત કરવામા આવ્યો  હતો. દિવાળીના દિવસે ટાવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
દેવગઢ બારિયા નગરમાં આવેલા ઐતિહાસિક ટાવરના આ વર્ષે 22 સપ્ટેમ્બરે વિજળી પડતાં ઘુમ્મટ ખંડિત થયો હતો. ઉંચાઇ તથા ચુનાનું ચણતર હોવાના કારણે રિનોવેશન માટે તેના કારીગરો મળવા ખુબ મુશ્કેલ હતા. આ બાબતે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મીબેન નીલ સોની દ્વારા દિવાળી પહેલા આ ટાવરને ફરી શરૂ કરવાની ખાતરી અપાઇ હતી. જેથી દેવગઢ બારિયાના અમદાવાદમાં કામ કરતાં મુસ્તાકભાઇ શેખ દ્વારા તેના ખાસ પ્રકારના કારીગરો બોલાવી પાલખ બાંધી 110 ફુટ ઉંચા ટાવરનું ઘુમ્મટનું રીપેરીંગ કરી તેને કલરકામ કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ટાવરની પાસે ‘આઇ લવ દેવગઢ બારિયા’નું સીમ્બોલ મુકવામાં આવ્યું હતું. આ બન્ને વસ્તુનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મીબેન નીલ સોની, ઉપપ્રમુખ ગૌરાંગભાઇ પંડ્યા તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાકાર્પણ બાદ લાઇટીંગ શો યોજવામાં આવ્યો હતો. અને લોકોએ ખુબ ભારે મોટી સંખ્યામાં આ શો નિહાળ્યો હતો અને આતશબાજી પણ કરવામાં આવી હતી. આમ દેવગઢ બારિયા નગરને ઐતિહાસિક ટાવરની લાઇટીંગ અને રંગરોગાનની ભેંટ નગરજનોને મળી હતી.

સંબંધિત પોસ્ટ

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24