Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

  • ચોમાસામાં આકાસી વીજળી પડતાં ટાવરના ઘુમ્મટ નુકશાન થયું હતું
  • ટાવરના લાકાર્પણ બાદ લાઇટિંંગ શો યોજવામાં આવ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
દેવગઢ બારિયા નગરમાં પેન્ડ્યુલીયમ ઘડીયાલ સાથેનો 1919માં નિર્માણ થયેલો ઐતિહાસિક ટાવર આવેલો છે. આ ટાવર પર વિજળી પડતાં તેના ઘુમ્મટને નુકસાન થયું હતું. જે નુકસાન થયેલ ઘુમ્મટ નુ રીપેરીંગ કરી આખા ટાવરને કલર કામ કરી ફરીથી કાર્યરત કરવામા આવ્યો  હતો. દિવાળીના દિવસે ટાવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
દેવગઢ બારિયા નગરમાં આવેલા ઐતિહાસિક ટાવરના આ વર્ષે 22 સપ્ટેમ્બરે વિજળી પડતાં ઘુમ્મટ ખંડિત થયો હતો. ઉંચાઇ તથા ચુનાનું ચણતર હોવાના કારણે રિનોવેશન માટે તેના કારીગરો મળવા ખુબ મુશ્કેલ હતા. આ બાબતે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મીબેન નીલ સોની દ્વારા દિવાળી પહેલા આ ટાવરને ફરી શરૂ કરવાની ખાતરી અપાઇ હતી. જેથી દેવગઢ બારિયાના અમદાવાદમાં કામ કરતાં મુસ્તાકભાઇ શેખ દ્વારા તેના ખાસ પ્રકારના કારીગરો બોલાવી પાલખ બાંધી 110 ફુટ ઉંચા ટાવરનું ઘુમ્મટનું રીપેરીંગ કરી તેને કલરકામ કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ટાવરની પાસે ‘આઇ લવ દેવગઢ બારિયા’નું સીમ્બોલ મુકવામાં આવ્યું હતું. આ બન્ને વસ્તુનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મીબેન નીલ સોની, ઉપપ્રમુખ ગૌરાંગભાઇ પંડ્યા તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાકાર્પણ બાદ લાઇટીંગ શો યોજવામાં આવ્યો હતો. અને લોકોએ ખુબ ભારે મોટી સંખ્યામાં આ શો નિહાળ્યો હતો અને આતશબાજી પણ કરવામાં આવી હતી. આમ દેવગઢ બારિયા નગરને ઐતિહાસિક ટાવરની લાઇટીંગ અને રંગરોગાનની ભેંટ નગરજનોને મળી હતી.

સંબંધિત પોસ્ટ

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24