Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડાની નૂત્તન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ: વિધાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ: વિજેતા વિધાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામા આવ્યા

  • લીમખેડાના માલપાની પરીવાર દ્વારા સ્પર્ધાનુ કરાય આયોજન
  • વિજેતા વિદ્યાર્થીઓએ ઈનામ વિતરણ કરવામા આવ્યુ
  • Advertisement
લીમખેડા તા.14
લીમખેડાની નૂતન માધ્યમિક શાળા ખાતે આજે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચાર જેટલી શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
દાહોદ જીલ્લાના લીમખેડા ખાતે આવેલ નૂતન માધ્યમિક શાળા ખાતે હિન્દી દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન માલપાની પરીવાર દ્વારા કરવામા આવ્યુ હતુ, જેમા લીમખેડા તાલુકાની નૂતન માધ્યમિક શાળા, પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ, શ્રી સાર્વજનિક ઉ.બુ.માધ્યમિક શાળા માન્લી, શ્રી સરસ્વતી વિદ્યાલય અગારા ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
હિન્દી દિવસ ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, કવીઝ સ્પર્ધાનુ આયોજન કરવા આવ્યુ હતુ. જેમાં અલગ અલગ શાળાઓ માંથી આવેલા 33 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા નિબંધ સ્પર્ધામાં નૂતન માધ્યમિક શાળા લીમખેડા પ્રથમ ક્રમાકે આવી હતી, જ્યારે
વકતૃત્વ સ્પર્ધા તેમજ કવીઝ સ્પર્ધામાં પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ, લીમખેડાના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અને વિજેતા બન્યા હતા. તમામ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઈનામ આપવામા આવ્યુ હતુ, જ્યારે અન્ય તમામ વિધાર્થીઓને પ્રવીણભાઈ માલપાણી અને ચંદ્રમોહન માલપાની દ્રારા નોટબુક અને બોલપેન આપી સન્માનિત કર્યા હતા.
સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોકલેટનુ વિતરણ કરવામાં આવી હતી, આ કાર્યક્રમમા નૂતન માધ્યમિક શાળાના આચાર્ય એસ.સી.ડાંગી દ્વારા પ્રાસંગિક પ્રેરક ઉદ્બોધન આપવામાં આવેલ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના મદદનીશ શિક્ષક સુરેશભાઈ એન.પંડયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24