Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

  • ફતેપુરામાં મધ્યરાતે જેસીબી થી તળાવની પાળનુ કર્યુ ખોદકામ
  • ગ્રામજનોએ હોબાળો મચાવતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર
  • Advertisement
  • ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિને ગ્રામજનોએ ટલ્લે ચઢાવ્યા

 

દાહોદ તા.૦૭, (મયુર રાઠોડ દ્રારા)
ફતેપુરાના તળાવ પર મધ્યરાતે બે વાગ્યાના અરસામા ભૂ-માફીયાઓ દ્રારા તળાવની પાળ નુ જેસીબી મશીન અને ચાર થી પાંચ ટ્રેકટરો સાથે ગેરકાયદેસર ખોદકામ ચાલુ કર્યુ હોવાની જાણ થતા ફતેપુરા ના ગ્રામજનો તળાવની પાળ પર દોડી આવ્યા હતા, ગ્રામજનોને જોતાં જ ભૂ-માફીયાઓ જેસીબી મશીન અને ટ્રેક્ટરો લઈને ઉભી પુછડીએ ભાગી છુટયા હતા, સમગ્ર ઘટના નિ જાણ થતા ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, ફતેપુરા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, સ્થાનિક તંત્ર ભૂ-માફીયાઓ સામે કાર્યવાહી મા વામણુ પુરવાર થતા ગ્રામજનોએ દાહોદ કલેક્ટર ફોન કર્યા હતા.

ફતેપુરા નગર ના જાગૃત નાગરિકોએ ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિને કડક પુછપરછ કરતા ફતેપુરા સરપંચ ચોધાર આશુએ રડી પડ્યા હતા, સાથે ફતેપુરા મામલતદારે પણ ભૂ-માફીયાઓ સામે કોઈ કાર્યવાહી નહી કરતા ગ્રામજનોમા મામલતદાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, ફતેપુરા નગરની સરકારી જમીનો પર છેલ્લા કેટલાક સમયથી ભૂ-માફીયાઓ દ્રારા ગેરકાયદેસર દબાણો કરવામા આવી રહ્યા છે, સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોને લઈને ભૂ-માફીયાઓ વિરુદ્ધ ગ્રામ પંચાયત ના સભ્યો સહિત અનેક ગ્રામજનોએ સ્થાનિક ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી, તાલુકાના અધિકારીઓ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને વારંવાર લેખિત ફરિયાદો કરવા છતા ભૂ-માફીયાઓ વિરુદ્ધ કોઈ દાખલા રુપ કડક કાર્યવાહી નહી કરવામા આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
ફતેપુરા ના નગરજનો આજે સરકારી જમીનો પર ભૂ-માફીયાઓ દ્રારા કરવામા આવેલ દબાણો દુર કરવા દાહોદ જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવાના હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

 

સંબંધિત પોસ્ટ

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની મારગાળા ગ્રામ પંચાયત ના સરપંચે રૂ.૪૧.૪૨ લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ કરતા ખળભળાટ

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24