Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

  • સુખસર વિસ્તારના દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ

  • પંચાયત ધારા-1993 કલમ ૫ અન્વયે દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતની: ટીડીઓ

  • Advertisement
  • પૈસાદાર અને વગ ધરાવતા ઈસમોએ રહેણાંક મકાન ના ખોટા પુરાવા ઊભા કરી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.

ફતેપુરા તા.19

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો અને ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે અને પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા રહેણાક મકાન ના ખોટા પુરાવાઓ ઊભા કરી જિલ્લા વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. જેથી તાલુકા વિકાસ અધિકારીએ સુખસર ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકારી જમીન પરના દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા નોટિસ આપી હતી.

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગૌચર જમીન સરકારી પડતર જમીન ખરાબાની જમીન તેમજ ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન પર કેટલાક પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવાયા છે. જેમાં આ દબાણકર્તાઓ દ્વારા વેપાર-ધંધા માટે દબાણો કર્યા છે અને રહેણાંક મકાનો છે તેવા ખોટા પુરાવા ઊભા કરેલા છે જ્યારે આ દબાણકર્તાઓ પાસે સુખસર નગર સહિત ઝાલોદ દાહોદ માં પણ વૈભવી મકાનો આવેલા છે જેઓ ખોટા પુરાવા ઊભા કરી વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. અને ધાર્મિક સ્થળ માટે ફાળવાયેલી જમીન અને સરકારી જમીન હડપ કરવાની કોશિશ કરી રહેલ છે જે બાબતે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆત થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત ધારો 1993 કલમ ૫ અન્વયે દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવાનું જણાવ્યું દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા ગ્રામ પંચાયત સુખસર ને નોટિસ આપવામાં આવી હતી.

પી.એસ અમલીયાર (તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા)
સુખસર ગ્રામ પંચાયતને સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે કલમ 105 મુજબ દબાણ હટાવવા ની સત્તા ગ્રામ પંચાયતને છે. જેથી દબાણ હટાવી અહેવાલ રજૂ કરવા સુચના આપી છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના સુખસર ગામ માંથી પસાર થતી દારુ ભરેલી ટ્રકને દાહોદ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી રુપીયા 3.24 લાખની કિંમત ના દારુ સહિત કુલ ૬,૩૪૦૦૦/- લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

લીમખેડા તાલુકાના જુનાવડીયા ગામે મહાકાળી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24