Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

  • સુખસર વિસ્તારના દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ

  • પંચાયત ધારા-1993 કલમ ૫ અન્વયે દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતની: ટીડીઓ

  • Advertisement
  • પૈસાદાર અને વગ ધરાવતા ઈસમોએ રહેણાંક મકાન ના ખોટા પુરાવા ઊભા કરી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.

ફતેપુરા તા.19

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો અને ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે અને પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા રહેણાક મકાન ના ખોટા પુરાવાઓ ઊભા કરી જિલ્લા વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. જેથી તાલુકા વિકાસ અધિકારીએ સુખસર ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકારી જમીન પરના દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા નોટિસ આપી હતી.

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગૌચર જમીન સરકારી પડતર જમીન ખરાબાની જમીન તેમજ ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન પર કેટલાક પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવાયા છે. જેમાં આ દબાણકર્તાઓ દ્વારા વેપાર-ધંધા માટે દબાણો કર્યા છે અને રહેણાંક મકાનો છે તેવા ખોટા પુરાવા ઊભા કરેલા છે જ્યારે આ દબાણકર્તાઓ પાસે સુખસર નગર સહિત ઝાલોદ દાહોદ માં પણ વૈભવી મકાનો આવેલા છે જેઓ ખોટા પુરાવા ઊભા કરી વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. અને ધાર્મિક સ્થળ માટે ફાળવાયેલી જમીન અને સરકારી જમીન હડપ કરવાની કોશિશ કરી રહેલ છે જે બાબતે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆત થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત ધારો 1993 કલમ ૫ અન્વયે દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવાનું જણાવ્યું દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા ગ્રામ પંચાયત સુખસર ને નોટિસ આપવામાં આવી હતી.

પી.એસ અમલીયાર (તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા)
સુખસર ગ્રામ પંચાયતને સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે કલમ 105 મુજબ દબાણ હટાવવા ની સત્તા ગ્રામ પંચાયતને છે. જેથી દબાણ હટાવી અહેવાલ રજૂ કરવા સુચના આપી છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

સુખસર તાલુકાના નવા TDO તરીકે કિરીટ રાઠવાએ ચાર્જ સંભાળ્યો: રાજ્ય મંત્રી રમેશ કટારાએ ફૂલહારથી કર્યું સ્વાગત

Panchayat Samachar24

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24