Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારતા ખડભળાટ

  • સુખસર વિસ્તારના દબાણો દૂર કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ

  • પંચાયત ધારા-1993 કલમ ૫ અન્વયે દબાણ દૂર કરવાની સત્તા ગ્રામ પંચાયતની: ટીડીઓ

  • Advertisement
  • પૈસાદાર અને વગ ધરાવતા ઈસમોએ રહેણાંક મકાન ના ખોટા પુરાવા ઊભા કરી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે.

ફતેપુરા તા.19

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીનો અને ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન ઉપર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે અને પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા રહેણાક મકાન ના ખોટા પુરાવાઓ ઊભા કરી જિલ્લા વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. જેથી તાલુકા વિકાસ અધિકારીએ સુખસર ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકારી જમીન પરના દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા નોટિસ આપી હતી.

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગૌચર જમીન સરકારી પડતર જમીન ખરાબાની જમીન તેમજ ધાર્મિક સ્થળો માટે ફાળવાયેલી જમીન પર કેટલાક પૈસાદાર અને વગ ધરાવતા ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી દેવાયા છે. જેમાં આ દબાણકર્તાઓ દ્વારા વેપાર-ધંધા માટે દબાણો કર્યા છે અને રહેણાંક મકાનો છે તેવા ખોટા પુરાવા ઊભા કરેલા છે જ્યારે આ દબાણકર્તાઓ પાસે સુખસર નગર સહિત ઝાલોદ દાહોદ માં પણ વૈભવી મકાનો આવેલા છે જેઓ ખોટા પુરાવા ઊભા કરી વહીવટી તંત્રને ગુમરાહ કરી રહ્યા છે. અને ધાર્મિક સ્થળ માટે ફાળવાયેલી જમીન અને સરકારી જમીન હડપ કરવાની કોશિશ કરી રહેલ છે જે બાબતે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆત થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત ધારો 1993 કલમ ૫ અન્વયે દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવાનું જણાવ્યું દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા ગ્રામ પંચાયત સુખસર ને નોટિસ આપવામાં આવી હતી.

પી.એસ અમલીયાર (તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા)
સુખસર ગ્રામ પંચાયતને સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે કલમ 105 મુજબ દબાણ હટાવવા ની સત્તા ગ્રામ પંચાયતને છે. જેથી દબાણ હટાવી અહેવાલ રજૂ કરવા સુચના આપી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

Panchayat Samachar24

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મંગળવારે દાહોદની મુલાકાતે

Panchayat Samachar24