Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા 26 મી જાન્યુઆરીનું આમંત્રણ કાર્ડ બિયારણ મિશ્રિત પેપરમાંથી બનાવ્યુ: કાર્ડને વાવવાથી ઊગશે આમળાનુ વૃક્ષ

  • ભારત સરકારના રક્ષા મંત્રાલયે ઇકો ફ્રેન્ડલી આમંત્રણ કાર્ડ બનાવ્યુ
  • કાર્ડ ને જમીનમાં વાવવાથી આમળાનું વૃક્ષ ઉગશે
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.25
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મીગ ના કારણે ઉદ્ભવતી સમસ્યાઓ સામે લડી રહ્યુ છે, અને પર્યાવરણને બચાવવા માટે ઘરતી પર વૃક્ષોની સંખ્યા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ત્યારે ભારત સરકારના રક્ષા મંત્રાલય તરફથી 26 મી જાન્યુઆરીના આમંત્રણકાર્ડમાં નીચે નાના અક્ષરે એક વાક્ય લખ્યું છે, “Sow this card to grow an Amla Plant” એટલે શું..? આ કાર્ડ વાવીએ એટલે આમળાનું વૃક્ષ ઉગે એમ..??? હા, સાવ સાચું…! કલ્પના કરવી પણ કઠિન છે એવી કમાલ ભારતે કરી દેખાડી છે, એટલું જ નહીં સામૂહિક સ્તરે સાકાર પણ કરી છે. ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણ કાર્ડ Seed Paper એટલે કે બિયારણ મિશ્રિત પેપરમાંથી, એટલે કે બિયારણ જેમાં અંતર્નિહિત છે એવા પેપરમાંથી બનેલું છે. આ પેપરને Plantable એટલે કે વાવી શકાય એવું પેપર પણ કહેવાય છે. બોટનિકલ અને ટેકનિકલ ભાષામાં કહીએ તો આ બાયોડિગ્રેડેબલ ઇકો પેપર છે. એવો કાગળ કે જેના તમામ તત્વો પ્રાકૃતિક રૂપે પૃથ્વીના તત્વોમાં સમાઈ જાય છે. કાંઈ જ શેષ નથી બચતું. પર્યાવરણની જાળવણી માટે આનાથી શ્રેષ્ઠ અને ઉદાહરણ બીજું શું હોઈ શકે !

કેવી રીતે ઉગશે આમંત્રણ કાર્ડ માથી વૃક્ષ

પ્રજાસત્તાક દિવસની પરેડનું આ આમંત્રણ કાર્ડ ભેજવાળા માટીના પાતળા લેયરમાં દાટી દેવાનું, થોડા પાણી અને સૂર્યપ્રકાશ વચ્ચે જતનપૂર્વક જોતા રહેવાનું. જોતજોતામાં આ પત્રિકા પાગરશે, આ આમંત્રણ કાર્ડમાંથી અંકુર ફૂટશે…જે મોટું થઈને આમળાનુ વૃક્ષ બનશે અને ફળ પણ આપશે અને તંદુરસ્તી વધારશે… ભારત ના રક્ષા મંત્રાલય ની આવી પહેલ જો સમગ્ર દેશમા અપનાવવામા આવે તો પર્યાવરણ ને બચાવવામા મદદરૂપ સાબીત થઈ શકે છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24

સીંગવડમા ચોરીની ઘટનાઓમા સતત વધારો થતા ગ્રામજનો ચિંતાતુર: પોલીસ ઈન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા કરી રજુઆત

Panchayat Samachar24