Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.  રાજ્યનાં 26 તાલુકાઓમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં આગામી 4 દિવસ વધુ વરસાદ પાડવાની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં વડેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. વરસાદના ચોથા રાઉન્ડમાં ભરૂચ- વડોદરાના તાલુકોમાં ભારે નુકશાન થયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યના 26 તાલુકામાં વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્રનાં ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, ભરૂચ,  તાપી, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે. અને ત્રણ દિવસ હળવો વરસાદ થવાની સંભાવના છે. 25-26 તારીખે વરસાદ વધવાની સંભાવના છે. સ્થાનિક હવામાન વિભાગે પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરીને 25-26 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બે દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે.ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે શક્યતાઓ નથી પરંતુ 26 તારીખથી હળવો વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ થઈ શકે છે. એક સિસ્ટમ પ્રબળ બની રહી છે જેના કારણે રાજ્યમાં 25-26 તારીખ દરમિયાન વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

ગુજરાત વિભાનસભાની ચુંટણીની થઈ શકે છે જાહેરાત: જાણો ચુંટણીની સંભવિત તારીખો

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ: સરપંચ પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર પટેલને ભારે જન સમર્થન મળતા પલ્લુ ભારે!

Panchayat Samachar24