Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

દાહોદ જિલ્લામાં મોટાભાગે વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવે છે. જેથી ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિને કારણે જિલ્લાનાં ખેડૂતોને ખેતીમાં વર્ષોથી નુકસાન જ થઈ રહ્યું છે. આ વર્ષે જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દાહોદ જિલ્લાની કુલ ખેતીલાયક જમીન 2.15 લાખ હેક્ટર માંથી ફક્ત 1.25 લાખ હેક્ટર જમીનમાં મકાઇની ખેતી કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી દાહોદ જિલ્લામાં વરસાદ અનિયમિત થતા ખેડૂતોને ચોમાસાની સિઝનમાં નુકસાની જ વેચવાનો વારો આવતો હોય છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતોની સારી ખેતીની આશા નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જૂન મહિનામાં વરસાદનું આગમન થતાની સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં જિલ્લાના મુખ્ય પાક ગણાતા એવા મકાઈનુ વાવેતર કર્યું હતું, પરંતુ ઓગસ્ટ આખો કોરો જતાં મકાઇનો પાક નિષ્ફળ જવાની દહેશત ખેડૂતોને હતી, પરંતુ પાછળથી પડેલા વરસાદી ઝાપટાઓથી મકાઇના પાકને જીવનદાન મળ્યું હતું, ત્યારે ગત શુક્રવારથી લઈને રવીવાર સુધી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. જિલ્લામાં વાવણી કરેલ પાકોમાં ખાસ કરીને વરસાદે મકાઇના પાકને ભારે નુકસાન થયુ છે, ભારે પવન અને વરસાદના કારણે મકાઈનો પાક પડી જતા ખેડૂતોને નુકસાન વેચવાનો વારો આવ્યો છે જિલ્લામાં 1.25 લાખમાંથી 1 લાખ હેક્ટરમાં મકાઇનો પાક ખેતરોમા આડો પડી ગયો હોવાનો અંદાજ લગાવવામા આવી રહ્યો છે. જીલ્લામા મકાઇનો પાક તૈયાર થઇ ગયો છે અને ડોડા પણ આવી ગયા છે. પાછળથી મકાઇની વાવણી કરનારા કેટલાંક ખેડૂતોના ખેતરોમા હજી ડોડા પરિપૂર્ણ થવાની રાહ જોઇ રહ્યા હતાં. જિલ્લાના મોટાભાગના ખેતરોમા વરસાદી પાણી ભરાયેલા છે ત્યારે મકાઇ આડી પડી જવાને કારણે ડોડા સડી જવા સાથે તેના દાણા કાળા પડી જવાની ખેડૂતોમા દહેશત સર્જાઇ રહી છે. ત્યારે મકાઇનો પાક કપાય તે પહેલાં જ વરસાદે ખરાબી કરતાં હવે ડોડાઓ સડી જવા કે દાણા કાળા પડી જવાના કિસ્સામાં આ વખતે ઉત્પાદન ઉપર પણ વિપરીત અસર પડે તેવી દહેશત સર્જાઇ રહી છે.
જિલ્લામાં પાકોમાં અને ખાસ કરીને મકાઇમાં કેટલું નુકસાન થયુ છે તે જાણવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આખા જિલ્લામાં તંત્ર દ્વારા 20 જેટલી ટીમો બનાવી સર્વેને કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને પાકને થયેલ નુકસાન બાબતે જલ્દી જલ્દી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

સંજેલી પંથકમાં દિપડાનો આતંક: વાણીયાઘાટીમાં દિપડાએ વાછરડાનો શિકાર કરતા પંથકમાં ભયનો માહોલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24