Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

  • દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે ચાડીયાનો મેળો ભરાયો
  • આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે
  • Advertisement
  • આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે
ડેસ્ક પંચાયત સમાચાર તા.20
દાહોદ જિલ્લાના ઘાનપુર ગામે ચાડીયાનો મેળો ભરાયો હતો જેમાં આજુ-બાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળાની મઝા માણવા ઉમટી ૫ડ્યા હતા, જેમાં રાજય સરકારના પૂર્વમંત્રી બચુભાઇ ખાબડે ૫ણ હાજરી આપતા લોકોના ઉત્સાહમાં વઘારો થયો હતો, આ મેળામાં વર્ષો જુની પરંપરાને લોકો એ નિહાળીને  મંત્ર મુગ્ઘ થયા હતા.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો હોવાથી અહી ના આદિવાસી સમાજમા હોળી ના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દાહોદ જીલ્લાના આદિવાસી સમાજ હોળી નજીક આવતા જ જાણે દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે . ત્યારે હોળીના તહેવારની શરૂઆત ફાગણ સુદ અગીયારના દિવસે ભરતા મેળાની સાથે શરૂ થઈ જતી હોય છે . ત્યારે દાહોદ જિલ્લા ના ધાનપુર ખાતે ધુળેટી ના બિજા દિવસે ઉજવાતા ચાડીયા ના મેળા નુ પણ આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ હોય છે . તેમજ આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો મોટી સંખ્યા મા જોડાતા હોય છે . ત્યારે આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો પોતાના ઢોલ , કુંડી,થાળી જેવા વાજીંત્રો લઈને આવતા હોય ને આદિવાસિ સમાજ ના ગીતો તેમજ ઢોલ વગાડી ને આનંદ લેતા હોય છે . તેમજ આ મેળા વર્ષો જુની ચાલી આવતી ચાડીયા ની પરંપરા ને નિહાળાવા લોકો મોટી સંખ્યા મા આવતા હોય છે . આ મેળા મા મેળો યોજાવાના સ્થાન ૫ર મઘ્યમાં  આવેલ આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે . તેમજ આ ગોળ ની પોટલી લેવા યુવાનો થનગનતા હોય છે . ત્યારે અંબા ના ઝાડ ની ફરતે મહીલા ઓ વાંસ ની સોટી લઈ ને આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે  ત્યારે સૌ પ્રથમ તો ધાનપુર ગામ ના આગેવાનો દ્વારા ધાનપુર તાલુકા ના ગામો ના નામ બોલતા હોય છે , અને એ ગામ માથી જે પણ યુવાન ની અંબા ઝાડ ઉપર મુકેલી પોટલી લેવા માટે મહીલા ઓ ની વાંસ ની સોટી ઓ ની માર ખાતા ખાતા અંબા ના ઝાડ ઉપર ચઢી ને પોટલી લઈને ગામ નુ નામ રોષન કરતા હોય છે . અને આનંદ નો મજા લેતા હોય છે , આ ચાડીયો કરવા પાછળ નુ કારણ આ એક વર્ષો થી ચાલી આવતી પરંપરા છે તેમજ લોકો સંતાન સુખ ની પ્રાપ્તિ, માટે પણ ગોળ ની પોટલી ઉતારવાની માનતા રાખતા હોય છે .
ત્યારે આ મેળા મા મહીલા ઓ પણ યુવાનો ને સોટી મારી ને આનંદ લેવા માટે પણ થનગનતી હોય છે . તેમજ બહાર ગામ થી લોકો મોટી સંખ્યા મા લોકો મેળો નિહાળવા માટે આવતા હોય છે .

સંબંધિત પોસ્ટ

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દાહોદની રાજનીતિના ચાણક્ય, ખેડૂત પુત્રથી ગુજરાતના રાજકીય શિખર સુધીની અજેય યાત્રા!, સમર્પણ, સંઘર્ષ અને સેવાનો સમન્વય, દાહોદ જીલ્લાના વિકાસની નવી ગાથા રચી!