Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે પરંપરાગત ચાડીયાનો મેળો ભરાયો: ગોળની પોટલી લેવા યુવાનો માર ખાતા ચઢે છે આંબાના ઝાડ પર

  • દાહોદ જીલ્લાના ઘાનપુુુર ગામે ચાડીયાનો મેળો ભરાયો
  • આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે
  • Advertisement
  • આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે
ડેસ્ક પંચાયત સમાચાર તા.20
દાહોદ જિલ્લાના ઘાનપુર ગામે ચાડીયાનો મેળો ભરાયો હતો જેમાં આજુ-બાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મેળાની મઝા માણવા ઉમટી ૫ડ્યા હતા, જેમાં રાજય સરકારના પૂર્વમંત્રી બચુભાઇ ખાબડે ૫ણ હાજરી આપતા લોકોના ઉત્સાહમાં વઘારો થયો હતો, આ મેળામાં વર્ષો જુની પરંપરાને લોકો એ નિહાળીને  મંત્ર મુગ્ઘ થયા હતા.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો હોવાથી અહી ના આદિવાસી સમાજમા હોળી ના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દાહોદ જીલ્લાના આદિવાસી સમાજ હોળી નજીક આવતા જ જાણે દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે . ત્યારે હોળીના તહેવારની શરૂઆત ફાગણ સુદ અગીયારના દિવસે ભરતા મેળાની સાથે શરૂ થઈ જતી હોય છે . ત્યારે દાહોદ જિલ્લા ના ધાનપુર ખાતે ધુળેટી ના બિજા દિવસે ઉજવાતા ચાડીયા ના મેળા નુ પણ આદિવાસી સમાજમાં વિશેષ મહત્વ હોય છે . તેમજ આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો મોટી સંખ્યા મા જોડાતા હોય છે . ત્યારે આ મેળા મા આદિવાસી સમાજ ના લોકો પોતાના ઢોલ , કુંડી,થાળી જેવા વાજીંત્રો લઈને આવતા હોય ને આદિવાસિ સમાજ ના ગીતો તેમજ ઢોલ વગાડી ને આનંદ લેતા હોય છે . તેમજ આ મેળા વર્ષો જુની ચાલી આવતી ચાડીયા ની પરંપરા ને નિહાળાવા લોકો મોટી સંખ્યા મા આવતા હોય છે . આ મેળા મા મેળો યોજાવાના સ્થાન ૫ર મઘ્યમાં  આવેલ આબા ના ઝાડ ની ટોચ ઉપર કાપડમા ગોળ , ખજુર, નારીયળ, સહિત રોકડ ઇનામમાં મુકતા હોય છે . તેમજ આ ગોળ ની પોટલી લેવા યુવાનો થનગનતા હોય છે . ત્યારે અંબા ના ઝાડ ની ફરતે મહીલા ઓ વાંસ ની સોટી લઈ ને આદિવાસી સમાજ ના લોકગિતો ગાતી ગાતી અંબા ના ઝાડ ની ગોળ ફરતી હોય છે  ત્યારે સૌ પ્રથમ તો ધાનપુર ગામ ના આગેવાનો દ્વારા ધાનપુર તાલુકા ના ગામો ના નામ બોલતા હોય છે , અને એ ગામ માથી જે પણ યુવાન ની અંબા ઝાડ ઉપર મુકેલી પોટલી લેવા માટે મહીલા ઓ ની વાંસ ની સોટી ઓ ની માર ખાતા ખાતા અંબા ના ઝાડ ઉપર ચઢી ને પોટલી લઈને ગામ નુ નામ રોષન કરતા હોય છે . અને આનંદ નો મજા લેતા હોય છે , આ ચાડીયો કરવા પાછળ નુ કારણ આ એક વર્ષો થી ચાલી આવતી પરંપરા છે તેમજ લોકો સંતાન સુખ ની પ્રાપ્તિ, માટે પણ ગોળ ની પોટલી ઉતારવાની માનતા રાખતા હોય છે .
ત્યારે આ મેળા મા મહીલા ઓ પણ યુવાનો ને સોટી મારી ને આનંદ લેવા માટે પણ થનગનતી હોય છે . તેમજ બહાર ગામ થી લોકો મોટી સંખ્યા મા લોકો મેળો નિહાળવા માટે આવતા હોય છે .

સંબંધિત પોસ્ટ

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24