Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

લીમખેડાના ઝાલોદ રોડ ઉપર બરોડા બેંકના એટીએમની સામે ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ તાજેતરમાં ધામધૂમથી કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ છેલ્લા ચાર વર્ષથી સતત સેવા આપી રહી છે અને હવે તેને અત્યાધુનિક મેડિકલ સંસાધનોથી સજ્જ કરવામાં આવી છે. 24 કલાક ડિલિવરી સેવા સહિત અધ્યતન સોનોગ્રાફી મશીન દ્વારા તપાસ અને સ્ત્રી રોગોને લગતી તમામ સારવાર અહીં ઉપલબ્ધ થશે.

 

 

આ હોસ્પિટલ અનિયમિત માસિક, સફેદ પાણી પડવું, પ્રેગ્નન્સીમાં તકલીફ અને વારંવાર ગર્ભપાત જેવી સમસ્યાઓનું નિદાન અને સારવાર પૂરી પાડશે. બાળરોગની સારવારમાં નેબ્યુલાઇઝર દ્વારા નાસની સેવા ઉપરાંત સરદી, ખાંસી, માથાનો દુખાવો, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવા તાવ તેમજ કમળો, ઝાડા-ઉલટી, કોલેરા, બી.પી. અને ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટે પણ સજ્જ છે.

શુભારંભ પ્રસંગે સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી, જ્યારે આસપાસના લોકો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. ભાવીકભાઈ ડબગર, ડૉ. દિવ્યેશ ડબગર અને નરેશભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ હોસ્પિટલને તમામે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે હાજર રહેલા લોકોએ હોસ્પિટલની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી અને સમાજના હિત માટે આ એક મહત્વનું પગલું ગણાવ્યું. ભવ્યમ હોસ્પિટલ આગામી સમયમાં આરોગ્ય સેવાઓમાં નવું ધોરણ સ્થાપિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

વિરોધીઓના ષડયંત્રો સામે હિમાલયની જેમ અડગ બચુભાઈ ખાબડ: ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને જનતાનો સાથ બનશે ઢાલ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24