Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદહેલ્થ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

અમદાવાદમાં કોરોનાની રસીનું આગમન થયુ છે. અને આ કોવિશિલ્ડ રસી એરપોર્ટથી સીધી જ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1.20 લાખ ડોઝ રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસ અગાઉથી રસીને રાખવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ હતી.

રસીકરણનો ડ્રાય રન પણ યોજાયો હતો. અને હવે આખરે વેક્સિનને મુકવામાં આવી છે. ચોક્કસ તાપમાનમાં રસી જળવાઈ રહે તે માટેના રેફ્રિજરેટરની પણ વ્યવસ્થા અસારવા સિવિલમાં કરવામા આવી છે. વોક ઈન કુલમાં બેથી આઠ ડિગ્રી તાપમાનમાં વેક્સિન રાખવામાં આવી છે. અમદાવાદના વેક્સિન સ્ટોરેજથી અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લાને વેક્સિનનો જથ્થો આપવામાં આવશે.

લાંબા સમયથી પ્રતીક્ષા જોવાતી હતી તેનો આખરે અંત આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે કોરોના રસીનો પ્રથમ જથ્થો પાટનગર ગાંધીનગર પહોંચ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ, તબીબોની હાજરીમાં 2.76 લાખના કોરોના રસીના જથ્થાનું સ્વાગત સાથે સ્વીકાર કરાયો હતો.

”ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવી. આ સ્ટોરેજ સેન્ટર બહાર ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી કોરોના રસીને રાજ્યના બીજા કેન્દ્રો પર પહોંચાડાશે જેથી રસીકરણમાં આને ઉપયોગમાં લઈ શકાય. તો આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોનાની રસીકરણ શરૂ કરાશે. રસીકરણમાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને અગ્રતા આપવામાં આવશે.

 

 

 

સંબંધિત પોસ્ટ

મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત: રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસે ઉચ્ચક દંડ વસુલાશે: ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500 અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1,000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વચ્છ ભારત મિશન યોજના અને “અમૃત” યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે

Panchayat Samachar24