Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદહેલ્થ

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

અમદાવાદમાં કોરોનાની રસીનું આગમન થયુ છે. અને આ કોવિશિલ્ડ રસી એરપોર્ટથી સીધી જ અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1.20 લાખ ડોઝ રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસ અગાઉથી રસીને રાખવા માટેની વ્યવસ્થા કરી દેવાઈ હતી.

રસીકરણનો ડ્રાય રન પણ યોજાયો હતો. અને હવે આખરે વેક્સિનને મુકવામાં આવી છે. ચોક્કસ તાપમાનમાં રસી જળવાઈ રહે તે માટેના રેફ્રિજરેટરની પણ વ્યવસ્થા અસારવા સિવિલમાં કરવામા આવી છે. વોક ઈન કુલમાં બેથી આઠ ડિગ્રી તાપમાનમાં વેક્સિન રાખવામાં આવી છે. અમદાવાદના વેક્સિન સ્ટોરેજથી અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર જિલ્લાને વેક્સિનનો જથ્થો આપવામાં આવશે.

લાંબા સમયથી પ્રતીક્ષા જોવાતી હતી તેનો આખરે અંત આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે કોરોના રસીનો પ્રથમ જથ્થો પાટનગર ગાંધીનગર પહોંચ્યો હતો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ, તબીબોની હાજરીમાં 2.76 લાખના કોરોના રસીના જથ્થાનું સ્વાગત સાથે સ્વીકાર કરાયો હતો.

”ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવી. આ સ્ટોરેજ સેન્ટર બહાર ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી કોરોના રસીને રાજ્યના બીજા કેન્દ્રો પર પહોંચાડાશે જેથી રસીકરણમાં આને ઉપયોગમાં લઈ શકાય. તો આગામી 16 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં કોરોનાની રસીકરણ શરૂ કરાશે. રસીકરણમાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સને અગ્રતા આપવામાં આવશે.

 

 

 

સંબંધિત પોસ્ટ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

Panchayat Samachar24

લીમખેડાના પ્રખ્યાત અંબા જ્વેલર્સ ખાતે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શરૂ થતા ગ્રાહકોમા ખુશીનો માહોલ છવાયો

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24