Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કહેર મચાવી રહી છે. રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર કોરોના સિવાય કાઈ જોવા નથી મળતું. ત્યારે કોરોના પણ નિત નવા રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત હોય તેમ એક પછી એક રેકોર્ડ બનાવતું જઈ રહ્યું છે. પછી તે સંક્રમીતોનો આંક હોય કે પછી તેની લાક્ષણીકતા.

સામાન્ય રીતે એક વાર કોરોના થયા બાદ શરીરમાં તેની એન્ટી બોડી ઉત્પન્ન થતી હોય છે પરંતુ કોરોના નાકેસમાં આવું જોવા મળ્યું નથી. એકવાર કોરોના થયા બાદ પણ ફરી કોરોના થઇ શકે છે. બે ડોઝ વેકસીનના લીધા બાદ પણ કોરોના થઇ શકે છે. વૈજ્ઞાનિકોના તમામ તથ્યોને કોરોનાએ નેવે મૂકી દીધા છે.

દાહોદ જિલ્લા ના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી કોરોના સંક્રમિત બન્યા છે. ડો.આર.ડી.પહાડીયા ફરી એક વખત થયા કોરોના સંક્રમિત બન્યા છે. એક વર્ષ અગાઉ પણ ડો.આર.ડી.પહાડીયા કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાથી તેમના ફેફસામાં ઈનફેકશન થયા પછી લાબી સારવાર બાદ સ્વસ્થ થઈ  ફરજ પર પરત ફર્યા હતા.અને હવે તેમને રસીના બે ડોઝ પણ લીધા છે. અને ફરી એકવાર કોરોનાનો શિકાર બન્યા છે.

કોરોના રસી નો બિજો ડોઝ લીધા પછી પણ ડો. પહાડીયા કોરોના સંક્રમિત  બન્યા છે. કોરોનાનો આરટીપીસીઆર રીપોર્ટ કરાવતા ડો. પહાડીયા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સંબંધિત પોસ્ટ

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના દુધામલી ગામે દીપડાને બાંધી પજવણી કરનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ: ત્રણેય આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

લીમખેડા – ઝાલોદ હાઈવે પર મોટાહાથીધરા નજીક રાહદારી બે વિધાર્થીનીઓને ટ્રકે ટક્કર મારતા કરૂણ મોત: ટ્રકે બાઈકને ટક્કર મારતા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24