Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેર કાળો કહેર મચાવી રહી છે. રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર કોરોના સિવાય કાઈ જોવા નથી મળતું. ત્યારે કોરોના પણ નિત નવા રેકોર્ડ બનાવવામાં વ્યસ્ત હોય તેમ એક પછી એક રેકોર્ડ બનાવતું જઈ રહ્યું છે. પછી તે સંક્રમીતોનો આંક હોય કે પછી તેની લાક્ષણીકતા.

સામાન્ય રીતે એક વાર કોરોના થયા બાદ શરીરમાં તેની એન્ટી બોડી ઉત્પન્ન થતી હોય છે પરંતુ કોરોના નાકેસમાં આવું જોવા મળ્યું નથી. એકવાર કોરોના થયા બાદ પણ ફરી કોરોના થઇ શકે છે. બે ડોઝ વેકસીનના લીધા બાદ પણ કોરોના થઇ શકે છે. વૈજ્ઞાનિકોના તમામ તથ્યોને કોરોનાએ નેવે મૂકી દીધા છે.

દાહોદ જિલ્લા ના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી કોરોના સંક્રમિત બન્યા છે. ડો.આર.ડી.પહાડીયા ફરી એક વખત થયા કોરોના સંક્રમિત બન્યા છે. એક વર્ષ અગાઉ પણ ડો.આર.ડી.પહાડીયા કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાથી તેમના ફેફસામાં ઈનફેકશન થયા પછી લાબી સારવાર બાદ સ્વસ્થ થઈ  ફરજ પર પરત ફર્યા હતા.અને હવે તેમને રસીના બે ડોઝ પણ લીધા છે. અને ફરી એકવાર કોરોનાનો શિકાર બન્યા છે.

કોરોના રસી નો બિજો ડોઝ લીધા પછી પણ ડો. પહાડીયા કોરોના સંક્રમિત  બન્યા છે. કોરોનાનો આરટીપીસીઆર રીપોર્ટ કરાવતા ડો. પહાડીયા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. અને તેમને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સંબંધિત પોસ્ટ

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ થાય તો જે તે સર્કલ ઓફિસર અને મામલતદારની જવાબદારી નક્કી કરતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24