Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

  • દાહોદ જિલ્લામાં કોવીડ સામે વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ

  • રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના નાગરિકોને કોવીડ વેક્સીન લેવા અપીલ કરી

  • Advertisement
પંચાયત સમાચાર24, દાહોદ તા 21:
સમગ્ર રાજ્યની સાથે દાહોદમાં પણ કોરોના વાયરસને પરાસ્ત કરવા માટે વેક્સીનેશનના મહાઅભિયાનનો ૨૫ સેન્ટર ઉપરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ  જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડી આ મહાઅભિયાનમાં જોડાયા હતા અને દાહોદના નાગરિકોને કોવીડ વેક્સીન લઇ કોરોના સામે સુરક્ષિત થઇ જવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.

૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. એકવીસમી જૂન થી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને પાંચ હજાર કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના રાછવા તથા દાહોદ નગરના ગારખાયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાંસદ  જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડીએ બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાનુભાવોએ દાહોદ જિલ્લાના નાગરિકોને વહેલી તકે કોરોના સામેની વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.

દાહોદ જિલ્લામાં ૩.૫૦થી વધુ નાગરિકોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ મૂકાવી લીધો છે. તેની સાથે ૧.૯૫ લાખથી વધુ નાગરિકોએ બીજો ડોઝ લઇ લીધો છે.
આ કાર્યક્રમ મા નગરપાલિકા પ્રમુખ  રીનાબેન પંચાલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર. ડી. પહાડિયા નગર પાલિકાના કાઉન્સિલર સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાનો છેલ્લા પાંચ મહિનાથી ગુમ ૧૩ વર્ષીય કિશોરનુ માતા-પિતા સાથે મિલન કરાવતુ દાહોદ જિલ્લાનુ બાળ સુરક્ષા એકમ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24