Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

  • દાહોદ જિલ્લામાં કોવીડ સામે વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ

  • રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદના નાગરિકોને કોવીડ વેક્સીન લેવા અપીલ કરી

  • Advertisement
પંચાયત સમાચાર24, દાહોદ તા 21:
સમગ્ર રાજ્યની સાથે દાહોદમાં પણ કોરોના વાયરસને પરાસ્ત કરવા માટે વેક્સીનેશનના મહાઅભિયાનનો ૨૫ સેન્ટર ઉપરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ  જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડી આ મહાઅભિયાનમાં જોડાયા હતા અને દાહોદના નાગરિકોને કોવીડ વેક્સીન લઇ કોરોના સામે સુરક્ષિત થઇ જવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ ગુજરાતના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન મળી રહે એ માટે ભારત સરકારે વેક્સિનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવ્યો છે. રાજ્યમાં તમામ વયજૂથના નાગરિકોને વિનામૂલ્યે વેક્સિન અપાશે.

૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના યુવાનોના વેક્સિનેશન માટે પણ રાજ્ય સરકારે પૂરતું આયોજન કર્યું છે. એકવીસમી જૂન થી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. હવેથી દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે. રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે રાજ્યમાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને પાંચ હજાર કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં રાજ્ય મંત્રી  બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના રાછવા તથા દાહોદ નગરના ગારખાયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાંસદ  જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડીએ બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાનુભાવોએ દાહોદ જિલ્લાના નાગરિકોને વહેલી તકે કોરોના સામેની વેક્સીન લેવા માટે અપીલ કરી હતી.

દાહોદ જિલ્લામાં ૩.૫૦થી વધુ નાગરિકોએ કોરોના સામેની રસીનો પ્રથમ ડોઝ મૂકાવી લીધો છે. તેની સાથે ૧.૯૫ લાખથી વધુ નાગરિકોએ બીજો ડોઝ લઇ લીધો છે.
આ કાર્યક્રમ મા નગરપાલિકા પ્રમુખ  રીનાબેન પંચાલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર. ડી. પહાડિયા નગર પાલિકાના કાઉન્સિલર સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24