Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

દાહોદ જિલ્લામાં આજે નવા 67 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જીલ્લામાં આજે 12 કેસ ઝાલોદ ગ્રામ્યમાં આવ્યા છે. જયારે આજે વધુ ૩ કોરોના દર્દીઓના મૃત્યુ થતા જીલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં કોરોના વાયરસે તમામ હદો પાર કરી નાખી હોય તેમ લાગી રહ્યું છે. જીલ્લામાં છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલા કેસો સામે ન આવ્યાં હોય તેટલા કેસો હાલ નોંધાઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ લાગી રહ્યું છે. આજે એક જ દિવસમાં 67 જેટલા લોકોના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર દાહોદ જીલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, સાથે કોરોના સંક્રમણ ના વધતા કેસોને લઈને દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સંબંધિત પોસ્ટ

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

Panchayat Samachar24

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામા ભૂ-માફિયાઓ બેફામ: સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની વણઝાર: સરકારી તંત્ર ધૃતરાષ્ટ્ર બન્યુ

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24