Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે મંગળવારની રાતના રોજ મંદિરના છત પર ઊંઘી રહેલા યુવક પર દીપડાએ હુમલો કરીને મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે મારણ સાથે પાંજરૂ મુક્યું હતું. જેમાં દીપડાને પુરવામા વનવિભાગને સફળતા મળી હતી.

ધાનપુર તાલુકામાં કુદાવાડા ગામના સીમાડા પર ડુંગરની નીચે કુદરતી ઝરણું સતત વહે છે. આ ઝરણાં પર વન્યપ્રાણીઓ તરસ મિટાવે છે. ઝરણાની લગોલગ મહાદેવ અને ગાયત્રી મંદિર આવેલું છે ત્યારે કોઠારીયાના ગાયત્રી સાધકને વન્ય પ્રાણીએ ફાડી ખાતા ચકચાર મચી હતી. વિસામા ઘરના છત પરથી વિકૃત હાલતમાં તેની લાશ મળતા તેની ઈજાને ધ્યાનમાં લઈને વનવિભાગ વન્ય પ્રાણીના હુમલામાં મોત થયાનું જાણવા મળ્યું હતું .

ધાનપુર વનવિભાગ દ્વારા આ કુદરતી ઝરણા પર મારણ સાથે પાંજરુ ગોઠવ્યુ હતું. ગોઠવેલા પાંજરામાં દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડાનું વનવિભાગ આર એફ ઓ આર.બી.ચૌહાણ અને સ્ટાફ રેસ્ક્યુ કરીને પાવાગઢ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24