Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે મંગળવારની રાતના રોજ મંદિરના છત પર ઊંઘી રહેલા યુવક પર દીપડાએ હુમલો કરીને મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે મારણ સાથે પાંજરૂ મુક્યું હતું. જેમાં દીપડાને પુરવામા વનવિભાગને સફળતા મળી હતી.

ધાનપુર તાલુકામાં કુદાવાડા ગામના સીમાડા પર ડુંગરની નીચે કુદરતી ઝરણું સતત વહે છે. આ ઝરણાં પર વન્યપ્રાણીઓ તરસ મિટાવે છે. ઝરણાની લગોલગ મહાદેવ અને ગાયત્રી મંદિર આવેલું છે ત્યારે કોઠારીયાના ગાયત્રી સાધકને વન્ય પ્રાણીએ ફાડી ખાતા ચકચાર મચી હતી. વિસામા ઘરના છત પરથી વિકૃત હાલતમાં તેની લાશ મળતા તેની ઈજાને ધ્યાનમાં લઈને વનવિભાગ વન્ય પ્રાણીના હુમલામાં મોત થયાનું જાણવા મળ્યું હતું .

ધાનપુર વનવિભાગ દ્વારા આ કુદરતી ઝરણા પર મારણ સાથે પાંજરુ ગોઠવ્યુ હતું. ગોઠવેલા પાંજરામાં દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડાનું વનવિભાગ આર એફ ઓ આર.બી.ચૌહાણ અને સ્ટાફ રેસ્ક્યુ કરીને પાવાગઢ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

સંબંધિત પોસ્ટ

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

Panchayat Samachar24

સુન્ની વક્ફ બોર્ડે ગુજરાત બેટ દ્વારકાના બે ટાપુઓ પર પોતાનો દાવો રજૂ કર્યો: ગુજરાત હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તમે શ્રીકૃષ્ણ ની નગરી પર દાવો કેવી રીતે કરી શકો?

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24