Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

દાહોદ જીલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ફતેપુરા CHC ની લીધી મુલાકાત : કોરોના સર્વેલન્સની કામગીરી વધારવા જણાવ્યું

દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને કાબુમાં લેવા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે ત્યારે કલેક્ટર વિજય ખરાડી અને પોલીસ વડા હિતેશ જોયસરે ફતેપુરાના કમ્યુનિટી હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી અને વિસ્તારની કોવીડ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

દાહોદ કલેક્ટર ખરાડીએ ઉપસ્થિત આરોગ્ય અધિકારી તેમજ કર્મચારીઓને સર્વેલન્સની કામગીરીની અગત્યતા જણાવી હતી અને સર્વેલન્સની કામગીરી વધારવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કન્ટેઇનમેન્ટ વિસ્તાર પર પણ ચાંપતી નજર રાખવા જણાવ્યું હતું અને ત્યાં પણ વારંવાર મુલાકાત લેતા રહેવા જણાવ્યું હતું. કોરોના સંક્રમણ નિયત્રણમાં લાવવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામા તેમજ કરફ્યુની કડક અમલવારી થાય એ માટે તેમણે સૂચન આપ્યું હતું. બેદરકાર વ્યક્તિઓને જરા પણ ન બક્ષવા અને કડક કાર્યવાહી કરવા તેમણે જણાવ્યું હતું.
તેમણે લોકોમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા જેવી બાબતો પ્રત્યે સભાનતા આવે અને કોરોનાકાળમાં આ નાની પણ મહત્વની બાબતોનું અવશ્ય પાલન કરે તે માટે જણાવ્યું હતું. સાથે જ ૪૫ કે તેથી વધુ વયના તમામ નાગરિકો પણ વેક્સિન સત્વરે લઇ લે એ માટે લોકોને હકારાત્મક સમજ આપવા તેમણે જણાવ્યું હતું.

સંબંધિત પોસ્ટ

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

Panchayat Samachar24

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

Panchayat Samachar24

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24