Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

સમગ્ર દાહોદ જીલ્લામા વહીવટી તંત્ર કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા સતર્ક બન્યું છે. ત્યારે દાહોદ કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા ફતેપુરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે જતા હતા, થે દરમ્યાન રસ્તામા ડીજે મળ્યું હતુ. દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ પ્રતિબંધ હોવા છતા ડી.જે. વગાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસે ડી.જે. જપ્ત કરી સુખસર પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતુ.

દાહોદ જીલ્લામા કોરોનાનો ફેલાવો અટકે તેમજ ઓછામાં ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થાય તે હેતુસર દાહોદ જીલ્લા કલેકટર, એસ.પી.અને તેમની ટીમ દ્રારા લોકોમા જાગૃતિ આવે તે માટે કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરુપે ફતેપુરા ખાતે પણ કલેકટર વિજય ખરાડી, એસ પી હિતેશ જોઇસર મુલાકાત લેવા આવી પહોચ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લઇ અધિકારીઓ સાથે કોરોનાની મહામારીને લઇને સમીક્ષા બેઠક કરી હતી કલેક્ટરે અધિકારીઓને કોવીડની ગાઇડલાઇનનુ પાલન કરાવવા તેમજ કોરોનાના સ્થિતિવિશે સમીક્ષા કરી હતી.

દાહોદ કલેક્ટરે ફતેપુરા તાલુકાના લોકોને જીલ્લાની સાથે સાંજના ચાર વાગ્યાના સ્વયભુ બંધના જાહેરનામા સમથન આપી ધંધારોજગાર બંધ રાખી સહભાગી બને અને રાત્રિ કફયુનુ પણ પાલન કરે તે માટે અપિલ કરી છે. બીજી તરફ જિલ્લામા કલેકટરે જ ડી.જે પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતા કલેકટરને જ રસ્તામા ડી.જે. ભટકાઈ ગયુ હતુ. જેથી તાત્કાલિક આ ડીજેને સુખસર પોલીસ મથકે જપ્ત કરાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામા આવી હતી. કલેક્ટર ના કડક વલણ ને લલઈને ડી.જે. સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

ભારતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 2 લાખ 71 હજાર કેસ નોંધાયા, અત્યાર સુધી ઓમિક્રોન ના કુલ 7743 પોઝિટીવ દર્દીઓ નોંધાયા

Panchayat Samachar24