Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

સમગ્ર દાહોદ જીલ્લામા વહીવટી તંત્ર કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા સતર્ક બન્યું છે. ત્યારે દાહોદ કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા ફતેપુરા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે જતા હતા, થે દરમ્યાન રસ્તામા ડીજે મળ્યું હતુ. દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ પ્રતિબંધ હોવા છતા ડી.જે. વગાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા પોલીસે ડી.જે. જપ્ત કરી સુખસર પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતુ.

દાહોદ જીલ્લામા કોરોનાનો ફેલાવો અટકે તેમજ ઓછામાં ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થાય તે હેતુસર દાહોદ જીલ્લા કલેકટર, એસ.પી.અને તેમની ટીમ દ્રારા લોકોમા જાગૃતિ આવે તે માટે કામગીરી કરવામા આવી રહી છે. જેના ભાગરુપે ફતેપુરા ખાતે પણ કલેકટર વિજય ખરાડી, એસ પી હિતેશ જોઇસર મુલાકાત લેવા આવી પહોચ્યા હતા. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સેન્ટરની મુલાકાત લઇ અધિકારીઓ સાથે કોરોનાની મહામારીને લઇને સમીક્ષા બેઠક કરી હતી કલેક્ટરે અધિકારીઓને કોવીડની ગાઇડલાઇનનુ પાલન કરાવવા તેમજ કોરોનાના સ્થિતિવિશે સમીક્ષા કરી હતી.

દાહોદ કલેક્ટરે ફતેપુરા તાલુકાના લોકોને જીલ્લાની સાથે સાંજના ચાર વાગ્યાના સ્વયભુ બંધના જાહેરનામા સમથન આપી ધંધારોજગાર બંધ રાખી સહભાગી બને અને રાત્રિ કફયુનુ પણ પાલન કરે તે માટે અપિલ કરી છે. બીજી તરફ જિલ્લામા કલેકટરે જ ડી.જે પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતા કલેકટરને જ રસ્તામા ડી.જે. ભટકાઈ ગયુ હતુ. જેથી તાત્કાલિક આ ડીજેને સુખસર પોલીસ મથકે જપ્ત કરાવીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામા આવી હતી. કલેક્ટર ના કડક વલણ ને લલઈને ડી.જે. સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ થાય તો જે તે સર્કલ ઓફિસર અને મામલતદારની જવાબદારી નક્કી કરતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24