Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

દાહોદ શહેર સાહિત જીલ્લાની કોરોના હોસ્પીટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી રેમડેસિવર ઇન્જેક્શન મેળવી શકે તે માટે વોટ્સઅપ નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કન્ટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ પણ આ માટે કરી શકાશે. જેમાં તમામ દસ્તાવેજો તપાસ્યા બાદ માત્ર ડોક્ટર્સને જ ઇન્જેક્શન પૂરા પડાશે. આ માટે તેમણે એક વ્યક્તિને અધિકૃત પણ કરવાનો રહેશે.

કલેક્ટર વિજય ખરાડીએ આ સુવિધા બાબતે જણાવતા કહ્યું કે, વોટ્સએપ નંબર ઉપર કોરોના સંક્રમિત દર્દીનું નામ ઉપરાંત દર્દીનું આધારકાર્ડ, તેનો કોરોના પોઝિટિવ હોવાનો આરટીપીસીઆર, સીટીસ્કેન કે આરએટી રિપોર્ટ, રેમડેસિવર ઇન્જેક્શન ભલામણ કરનાર એમ.ડી. ડોક્ટરનું પ્રિસ્કીપ્શન એટલા દસ્તાવેજો વોટ્સએપ નંબર 08200140854 અને 09824953953 પર વોટ્સએપના માધ્યમથી મોકલ્યા બાદ અથવા કન્ટ્રોલ રૂમના 02673-239055 અને 7567895504 નંબર પર ફોન કરી જરૂરી માહિતી પુરી પાડ્યા બાદ, આ તમામ ડોક્યુમેન્ટ ચકાસીને માત્ર ડોક્ટરોને જ રેમડેસિવર ઇન્જેક્શન પુરા પાડવામાં આવશે. આ માટે તમામ ડોક્ટરોએ તેમના એક માણસને રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોક્ટરોના અધિકૃત પ્રતિનિધિને હેલ્પલાઇનમાંથી સુચના મળ્યે રેમડેસિવર ઇન્જેક્શન મેળવી લેવાના રહેશે.

સંબંધિત પોસ્ટ

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની પિપલોદ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાજેન્દ્ર પટેલ રૂપીયા ૩૦૫/- ની લાંચ લેતા પંચમહાલ એ.સી.બી. એ રંગે હાથ ઝડપી લીધા: મકાનનો વેરો વસુલ લઈ પાવતી આપવાના બદલામાં રૂપિયા ૫૦૦/- ની લાંચ તરીકે માગણી કરી હતી

Panchayat Samachar24

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24