Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ
ફતેપુરા નગરમાં સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણોનો મુદ્દો હવે રાજ્ય ના મુખ્યમંત્રી સુધી પહોંચાડવા ગ્રામજનોએ મામલતદાર મારફતે મુખ્યમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર આપ્યું હતું.
દાહોદ જીલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયત વિસ્તારની હદમાં આવેલી સરકારી જમીન સરકાર દ્વારા સરકારી કચેરીઓના મકાન બાંધકામ માટે ફાળવણીઓ કરવામા આવી હતી, જેમા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, આઇ.સી.ડી.એસ. કચેરી, જન સેવા કેન્દ્ર (એ.ટી.વી.ટી. સેન્ટર) જેવી સરકારી કચેરીઓ સરકારની માલીકીની સર્વે નંબરની જમીન મા બનાવવામાં આવેલ છે, તેજ સરકારી સર્વે નંબરની બાકીની ખુલ્લી રહેલી જમીન પર તેની આજુ બાજુ શેઢાપાડોસીયોએ બાકી રહેતી ખુલ્લી સરકારી જમીન અધિકારીઓની રહેમ નજર હેઠળ ગેરકાયદેસર બાંધકામ કરી આખુ કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યુ છે તથા તે સિવાયની ઓફીસોની નજીકમા આવેલા સરકારી જમીનો પર બાંધકામ કરીને તથા આ ભાગની જમીન ડુંગર હોઇ કેટલીક જગ્યાએ ખોદકામ કરીને ગેરકાયદેસર રીતે કબજો કરીને સરકારી જમીન પચાવવાની પાડવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ખોદકામ તથા બાંધકામ કરી દબાણો કરીને પચાવી પાડેલી જમીનો પરના તમામ દબાણો ખુલ્લા કરવા ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવામા આવી છે. તેવીજ રીતે ફતેપુરા ગામમાં ગામતળાવ તરીકે ઓળખાતુ લગભગ ૫ એકર જમીનમાં એક તળાવ ફેલાયેલું છે , તે તળાવની આજુબાજુમાં પણ કેટલાક શેઢા પાડોશીઓ તળાવના ભાગની જમીનને ખોટીરીતે પોતાની જમીન બતાવી તળાવની દક્ષિણ દિશામાં તથા પુર્વ દિશા તરફના ખેતર માલીકોએ તળાવમાં પુરાણ કરીને દબાણ કરેલ છે . તેજ રીતે તળાવની ઉત્તર દિશામાં પણ શેઢાપાડોસી દ્વારા તળાવની પાળની જગ્યામાં ખોદાણ કરી દબાણ ઉભુ કરી સરકારી મિલ્કત પચાવવાની કોશિષ કરેલ છે . આપ સાહેબ દ્વારા આવા કાયદાને ઘોળીને પી જઈ રૂપિયાના જોરે સરકારી જમીનો પચાવતા ઇસમો પ્રત્યે કડક વલણ અપનાવી જણાવેલ હકિકત ગંભીરતાથી ધ્યાને લઇ તમામ કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરી આકરા પગલા લેવા ગ્રામજનોએ રજૂઆત કરી છે.
ફતેપુરા નગર મા આવેલી સરકારી કચેરીઓ તથા તળાવની જમીનની આસપાસ જમીનો ઉપર દબાણો અને બાંધકામો દ્વારા જમીનો પચાવવાની કામગીરી છેલ્લા ૩-૪ વર્ષ દરમ્યાન થયેલ છે . અને અવાર – નવાર રજુઆતો કરવા છતા આજ દિન સુધી યોગ્ય નિરાકરણ ન આવતા અને હાલમાં પણ થોડાથોડા દિવસોના સમયાંતરે નવાનવા દબાણો થવાનું ચાલુ જ છે . જ્યારે પણ કોઇ ઇસમે સરકારી જમીનપર ગેરકાયદેસર કબજો કરવાની કે દબાણ કરવાની કોશિષ કરેલ છે , ત્યારે ગામના કેટલાક જાગૃત નાગરીકોએ અવાર – નવાર પંચાયત તથા તાલુકા કક્ષાએ લેખિત રજુઆતો કરેલ છે , છતા દબાણો ખુલ્લા કરાવાયા નથી કે દબાણકર્તાઓ વિરૂધ્ધ કોઇ કાયદેસરના પગલા લેવામાં આવેલ નથી . જ્યારે કે , આવા દબાણો અટકાવવાની પહેલી ફરજ ગ્રામ પંચાયતની હોય છે , તેમછતાં પંચાયત ઉપરોક્ત જણાવ્યા મુજબના થયેલા દબાણો ખુલ્લા કરાવેલ નથી કે ગેરકાયદેસર થયેલા બાંધકામો તોડાવેલ નથી , તેમજ પંચાયતે ફરજમાં ગંભીર બેદરકારી રાખી કોઇજ કાર્યવાહી હાથ ધરેલ નથી , તેથી પંચાયતને પણ મિલ્કતોની સાચવણી બાબતે નિષ્ફળ જાહેર કરીને બરતરફ કરવા રાજ્ય ના મુખ્યમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર ફતેપુરા મામલતદાર ને આપવામા આવતા ભૂ-માફિયાઓ મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24