Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

  • સુખસર ખાતે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી.

  • તાલુકામાં ૧૭ સ્થળોએ વેક્સિન રસીકરણનો કાર્યક્રમ યોજાયો

  • Advertisement

 

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકામાં ૧૭ સ્થળોએ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ વેક્સિન લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ તમામ પ્રજાને ફરજીયાત રસી લેવા માટે ધારાસભ્ય અપીલ કરી હતી.
ફતેપુરા તાલુકા સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી દીધો છે કોરોના સામે લડત આપનાર વેક્સિન લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં રસીકરણ મહા અભિયાન કાર્યક્રમ ની શરૂઆત કરાઈ છે સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો ધારાસભ્યએ પોતે કોરોના સામે લડત આપનાર વેક્સિન લીધી હતી. અને તમામ પ્રજાને ફરજિયાત રસીકરણ કરાવવા અપીલ કરી હતી. તાલુકામાં ૧૭ સ્થળોએ કોરોના વિરોધી રસી કરણ મહા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ શહીત પાર્ટીના કાર્યકર્તાઓ આ મહા અભિયાનમાં જોડાયા હતા. સુખસર ખાતે જિલ્લા મેલેરીયા અધિકારી અધિક ડામોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે. આર. હાડા, આગેવાન રમેશભાઈ કટારા ડેપ્યુટી સરપંચ ઈમરાન ભાઈ સહિત ગ્રામજનો આરોગ્ય સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

કોરોના વાયરસથી સંક્રમીત વ્યક્તિમાં સૌ પ્રથમ જોવા મળતા લક્ષણો વિશે જાણો : પ્રથમ 14 દિવસ સુધી કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે

Panchayat Samachar24

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની કેટલીક બક્ષીપંચ છાત્રાલયોમા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવની ચર્ચાઓ: કેટલીક છાત્રાલયોમા મંજુરીની સંખ્યા કરતા ઓછા વિધાર્થીઓ સાથે ચાલતી હોવાની વ્યાપક બુમો ઉઠી, છાત્રાલયોની તાત્કાલિક તપાસની જરૂરિયાત

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ચીખલી ગામે “નલ સે જલ” યોજનાનુ ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા ના હસ્તે કરવામા આવ્યુ

Panchayat Samachar24