Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

ફાયર સેફટીના નિયમોના ભંગ કરનારાઓ સામે ઝાલોદ નગરપાલીકાએ કરી લાલ આંખ: નિયમોના ભંગ બદલ સાત બિલ્ડીંગોને કરી સીલ: 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા અને 3 હોસ્પિટલ સામે કરી કાર્યવાહી

  • ઝાલોદ મા ફાયર NOC ન હોવાથી આરોગ્ય કેન્દ્ર સહીત 7 એકમો સીલ
  • 2 સરકારી કોલેજ, 2 ખાનગી શાળા,અને 3 હોસ્પિટલ સામે કાર્યવાહી
  • Advertisement
  • ફાયર NOC ના હોય તેવા એકમો મા સૌથી વધુ સંખ્યા સરકારી મીલ્કત ની
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ NOC વગરની હોસ્પિટલો તેમજ સ્કૂલો – કોલેજોને પણ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી બે મિલ્કતો અને ત્રણ ખાનગી મિલ્કતો તેમ કુલ મળીને પાંચ મિલ્કતો ને નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી જેમાં 1 સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર. ઝાલોદ (અધિક્ષકશ્રી ની કચેરી) 2 સરકારી સાયન્સ કોલેજ ઝાલોદ આ બે સરકારી મિલ્કતો સીલ કરાઈ તેમજ ત્રણ ખાનગી મિલકતો પણ સીલ કરાઈ જેમાં એક કે.આર.દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બીજી બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, અને ત્રીજી પ્રમુખ ઝાલોદ કેળવણી મંડળની સ્કૂલો માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC ન હોવાથી નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા પાંચ 5 સ્થળે ની મિલ્કતો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી નગરપાલિકાની આ કાયૅવાહી માં ફાયર સેફ્ટી તેમજ ફાયર NOC વિનાના અન્ય લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

સંબંધિત પોસ્ટ

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા