Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદમાં નવા ૨૦ યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા
  • પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સાંસદ જશવંતસિહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ
  • Advertisement
  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જિલ્લામાં લોકોએ ઘરે રહીને યોગ કર્યા

 

પંચાયત સમાચાર 24,દાહોદ, તા. ૨૧ :
આંતરાષ્ટ્રીય યોગ દિવસે રાજયમાં નવા તૈયાર થયેલા યોગ કોચ-ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. દાહોદથી રાજ્ય સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશવંતસિહ ભાભોર આ ઓનલાઇન કાર્યક્રમમાં જિલ્લા સેવા સદનથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને જિલ્લાના નવા ૨૦ યોગ કોચને પ્રમાણપત્ર આપી યોગનો યોગ્ય પ્રસાર કરવા શુભેચ્છાઓ આપી હતી.

ગુજરાત સરકાર ના મંત્રી ખાબડએ આ પ્રસંગે જણાવ્યું કે, યોગએ શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિએ યોગ શીખીને તેને લાભ લેવા જોઇએ. આ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયવ્યાપી અભિયાન શરૂ કર્યું છે અને હજારો નવા યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. આપણા દાહોદમાં પણ નવા યોગ કોચ લોકોને યોગને તાલીમ આપે અને યોગથી થતા લાભોને લોકો સુધી પહોંચતા કરે એ આ કોરોનાકાળમાં જરૂરી છે.
સાંસદ જશવંતસિહ ભાભોરએ જણાવ્યું કે, નવા યોગકોચ આપણા જિલ્લામાં ખૂબ સરસ કામગીરી કરીને જનજન સુધી યોગનો પ્રકાશ ફેલાવશે એવી મારી શુભેચ્છાઓ. સૌ યોગ કોચ લોકોને યોગના લાભો સમજાવી યોગ કરતા કરે. આજના દિવસે યોગને જનજન સુધી પહોંચતો કરવાનો સંકલ્પ લઇ લે.

કાર્યક્રમ બાદ મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશવંતસિહ ભાભોરએ કલેક્ટર વિજય ખરાડીની જામનગર ખાતે મહાનગર પાલિકાના કમિશનર તરીકે બદલી-બઢતી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લામાં તેમણે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને આદિવાસી પરંપરા મુજબ ભોરિંયુ અને શાલ પહેરાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
યોગ કરતા યુવાન
આજના યોગ દિવસે જિલ્લામાં પણ ઘરે ઘરે લોકોએ સવારમાં વહેલા ઉઠીને યોગ કર્યા હતા અને યોગથી થતા વિવિધ લાભ મેળવવા નિયમિત યોગ કરવાનો સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી  વિરલ ચૌધરી સહિત યોગ કોચ-ટ્રેનરો ઉપસ્થિત રહ્યાં હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

ભાજપના નેતા અને દેવગઢ બારીઆ APMC ના ચેરમેન ભરત ભરવાડના પંચેલા સ્થિત બંગલે ધાડપાડુઓ ત્રાટક્યા: રુપિયા ૩૧.૬૨ લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર: લૂંટારુઓ પોલીસ પક્કડથી દુર

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના ચુંદડી ગામની પરિણીતાએ શહેરાના પોયાડા ગામના સાસરિયાઓ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ કે.સી.વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

Panchayat Samachar24