Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

  • સુખસર ખાતે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી.

  • તાલુકામાં ૧૭ સ્થળોએ વેક્સિન રસીકરણનો કાર્યક્રમ યોજાયો

  • Advertisement

 

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકામાં ૧૭ સ્થળોએ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ વેક્સિન લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ તમામ પ્રજાને ફરજીયાત રસી લેવા માટે ધારાસભ્ય અપીલ કરી હતી.
ફતેપુરા તાલુકા સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી દીધો છે કોરોના સામે લડત આપનાર વેક્સિન લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં રસીકરણ મહા અભિયાન કાર્યક્રમ ની શરૂઆત કરાઈ છે સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો ધારાસભ્યએ પોતે કોરોના સામે લડત આપનાર વેક્સિન લીધી હતી. અને તમામ પ્રજાને ફરજિયાત રસીકરણ કરાવવા અપીલ કરી હતી. તાલુકામાં ૧૭ સ્થળોએ કોરોના વિરોધી રસી કરણ મહા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ શહીત પાર્ટીના કાર્યકર્તાઓ આ મહા અભિયાનમાં જોડાયા હતા. સુખસર ખાતે જિલ્લા મેલેરીયા અધિકારી અધિક ડામોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે. આર. હાડા, આગેવાન રમેશભાઈ કટારા ડેપ્યુટી સરપંચ ઈમરાન ભાઈ સહિત ગ્રામજનો આરોગ્ય સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ