Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

  • સુખસર ખાતે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી.

  • તાલુકામાં ૧૭ સ્થળોએ વેક્સિન રસીકરણનો કાર્યક્રમ યોજાયો

  • Advertisement

 

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકામાં ૧૭ સ્થળોએ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ વેક્સિન લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ તમામ પ્રજાને ફરજીયાત રસી લેવા માટે ધારાસભ્ય અપીલ કરી હતી.
ફતેપુરા તાલુકા સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી દીધો છે કોરોના સામે લડત આપનાર વેક્સિન લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં રસીકરણ મહા અભિયાન કાર્યક્રમ ની શરૂઆત કરાઈ છે સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો ધારાસભ્યએ પોતે કોરોના સામે લડત આપનાર વેક્સિન લીધી હતી. અને તમામ પ્રજાને ફરજિયાત રસીકરણ કરાવવા અપીલ કરી હતી. તાલુકામાં ૧૭ સ્થળોએ કોરોના વિરોધી રસી કરણ મહા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ શહીત પાર્ટીના કાર્યકર્તાઓ આ મહા અભિયાનમાં જોડાયા હતા. સુખસર ખાતે જિલ્લા મેલેરીયા અધિકારી અધિક ડામોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે. આર. હાડા, આગેવાન રમેશભાઈ કટારા ડેપ્યુટી સરપંચ ઈમરાન ભાઈ સહિત ગ્રામજનો આરોગ્ય સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દેગાવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં ત્રિ-પાંખીયો જંગ: સરપંચ પદના યુવાન ઉમેદવાર રામચંદ્ર પટેલને ભારે જન સમર્થન મળતા પલ્લુ ભારે!

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24