Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા તાલુકામા ધારાસભ્ય રમેશ કટારાએ સુખસર ખાતે વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની કરાવી શરૂઆત

  • સુખસર ખાતે ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાએ વેક્સિન મુકાવી રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી.

  • તાલુકામાં ૧૭ સ્થળોએ વેક્સિન રસીકરણનો કાર્યક્રમ યોજાયો

  • Advertisement

 

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકામાં ૧૭ સ્થળોએ રસીકરણ મહાઅભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ વેક્સિન લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ તમામ પ્રજાને ફરજીયાત રસી લેવા માટે ધારાસભ્ય અપીલ કરી હતી.
ફતેપુરા તાલુકા સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવી દીધો છે કોરોના સામે લડત આપનાર વેક્સિન લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયું છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં રસીકરણ મહા અભિયાન કાર્યક્રમ ની શરૂઆત કરાઈ છે સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો ધારાસભ્યએ પોતે કોરોના સામે લડત આપનાર વેક્સિન લીધી હતી. અને તમામ પ્રજાને ફરજિયાત રસીકરણ કરાવવા અપીલ કરી હતી. તાલુકામાં ૧૭ સ્થળોએ કોરોના વિરોધી રસી કરણ મહા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ શહીત પાર્ટીના કાર્યકર્તાઓ આ મહા અભિયાનમાં જોડાયા હતા. સુખસર ખાતે જિલ્લા મેલેરીયા અધિકારી અધિક ડામોર તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે. આર. હાડા, આગેવાન રમેશભાઈ કટારા ડેપ્યુટી સરપંચ ઈમરાન ભાઈ સહિત ગ્રામજનો આરોગ્ય સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પુત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો: સામાન્ય બાળકો સાથે ભણે છે આઈ.એ.એસ. અધિકારીનો પુત્ર

Panchayat Samachar24

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: 7 બાઈક સાથે બે આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24