Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

ખેતરે જવા નીકળેલા નગરાળાના અંજુબેન પરમાર ઘરે પરત ન ફર્યા

 

ડેસ્ક પંચાયત સમાચાર૨૪. તા.૨૭
દાહોદનાં નગરાળા ગામનાં ખેડા ફળીયાના અંજુબેન પરમાર ગુમ થયા છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત મુજબ તેઓ ગત તા. ૧૨ સપ્ટેમ્બરનાં રોજ બપોરે ઘરેથી ખેતરમાં ઘાસ લેવા જાઉં છું કહીને નીકળ્યા હતા પરંતુ પરત ફર્યા નથી. તેમની ઉંમર ૧૯ વર્ષ છે. શરીરે મજબુત બાંધાનાં, ઘઉંવર્ણા, લંબગોળ ચહેરો અને કાળા વાળ છે. તેમજ કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ ૮ સુધી ભણ્યા છે અને ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર વિશે કોઇ પણ માહિતી મળે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૭૩-૨૪૪૯૦૦ તેમજ મોબાઇલ નં. ૯૧૦૬૫ ૪૪૭૮૭ ઉપર જાણ કરવી. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્રી એમ.એફ. ડામોરે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના ઇન સર્વિસ તબીબોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને 25-મી જુન થી હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી: તબીબોએ અગાઉ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો

Panchayat Samachar24

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

જનતાની રક્ષા કરતી ગુજરાત પોલીસે પોતાનો હક્ક મેળવવા મહાઆંદોલનની કરી શરૂઆત..જાણો શું છે મુદ્દો…

Panchayat Samachar24