Panchayat Samachar24
Breaking News
ગુજરાતઝાલોદતાજા સમાચારદાહોદ

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

  • લીમડી થી ચાકલીયા હાઈવે ઉપર યુવક ની હત્યા
  • લીલવાઠાકોર ગામ નજીક હાઇવે ઉપર કરાઈ હત્યા
  • Advertisement
  • ૪૦ વર્ષીય યુવક ની તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી કરાઈ યુવક ની હત્યા
  • અજાણ્યા ઈસમો દ્વારા યુવક ને માથા અને હાથ ઉપર તીક્ષ્ણ હથિયાર મારી કરી હત્યા
  • યુવક લીમડી પોલીસ મથક મા હોમગાર્ડ મા ફરજ બજાવતો હતો
  • હત્યા ને પગલે પોલીસ તપાસ મા જોતરાઈ
  • લીમડી પોલીસ હત્યારા નુ પગેરૂ મેળવવા ડોગ સ્કવોડ એફ. એસ. એલ ની મદદ થી તપાસ હાથ ધરી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
ઝાલોદ તાલુકા ના લીમડી થી ચાકલીયા ને જોડતા સ્ટેટ હાઇવે ઉપર લીલવાઠાકોર ગામ ની સીમ માં ૪૦ વર્ષીય યુવક ની મોઢા તેમજ હાથ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા મારી કરપીણ હત્યા  ને પગલે પોલીસ તપાસ માં જોતરાઈ હતી.
ઝાલોદ તાલુકા ના લીમડી નજીક દેપાડા ગામ ના સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ના ઓ ગત તારીખ ૩૦-૯-૨૦૨૧ ના સાંજે ઘરે થી ભજન મંડળી કરવા જાવ છું તેમ કહી ઘરે થી નીકળ્યા હતા ,તેઓ સવાર સુધી પર ન આવતા તેમના પત્ની એ મોબાઈલ ઉપર ફોન કરતાં મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો હતો ,જેને લઈ ને એ તેમના પત્ની એ તેના પરિવાર ને જાણ કરી અને પરીવાર જનો એ શોધખોળ આદરી હતી તે દરમિયાન પરિવારજનો એ સુનિલ ને સોધતાં લીમડી ના ચાકલિયા રોડ ઉપર જતાં હતા તે દરમિયાન લીલવાઠાકોર ગામે હાઇવે ઉપર સુનિલ ભાઈ ની બાઇક મળી આવી હતી અને બાઇક ઉપર ખૂન ના નિશાન જોવાતા પરિવારજન ચિંતા માં આવી ગયા અને શોધખોળ શરૂ કરી તો બાઇક થી ૨૦૦ ફૂટ દૂર સુનીલભાઈ ઉર્ફે સાધુભાઈ પરમાર ને મોઢા,હાથ તેમજ પીઠ ના ભાગે તિક્ષણ હથિયાર ના ઘા ઝનીકી હત્યા કરેલી તેમની લાશ મળી આવતા પરિવાર જાણ ડઘાઈ ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી
 મૃતક ના ભાઈ અનિલ પરમારે લીમડી પોલીસ ને જાણ કરતાં લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશ ને પી.એમ અર્થે ખસેડી હતી ત્યારે પોલીસે ઘટના ઘટના ની ગંભીરતા ને પગલે ડોગ સ્કવોડ અને એફ. એસ. એલ ની મદદ લઈ ને ઘટના નું પગેરું મેળવવા તપાસ હાથ ધરી હતી
મૃતક ઘરે થી ભજન મંડળી માં જાવ છું તેમ કહી નીકળ્યો અને તેને મોત મળ્યું , યુવક લીમડી પોલીસ સ્ટેશન માં રાત્રી દરમિયાન હોમગાર્ડ ની પણ ફરજ બજાવતો હતો , ત્યારે આયુવક ની હત્યા કેમ અને શું કામ અને કયા કારણોસર હત્યા કરવામાં આવી તે દીશા માં તપાસ હાથ ધરી હતી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્શન ઓફિસરનું કોરોનાથી મૃત્યુ, માત્ર ત્રણ જ અઠવાડિયામાં SO, Dy.SO કક્ષાના પાંચમા અધિકારીનું દુઃખદ નિધન

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24