Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

  • આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં ‘પેડલ ટુ કાલી ડેમ’ સાયકલ રેલી યોજાઇ
  • દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વહેલી પરોઢે સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો. નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે આ સાયકલ રેલીમાં ભાગ પણ લીધો હતો. આ સાયકલ રેલી દાહોદ નગરનાં વિવિધ વિસ્તારોમાં થઇને જિલ્લા સેવા સદનના રસ્તે કાલી ડેમ પહોંચી હતી અને ત્યાર બાદ વિશ્રામગૃહ દાહોદ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ૮૦ થી વધુ સાયકલ સવારોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના ઇતિહાસથી નવી પેઢીને અવગત કરવામાં આવી રહી છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાનુ એક એવુ ગામ કે જ્યાના 23 જેટલા પરિવારો વીજળીના અભાવે અંધારપટમાં જીવન વિતાવવા મજબુર બન્યા

Panchayat Samachar24

રામાયણ ટીવી સિરિયલમાં ‘લંકેશ’ તરિકે અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીનું ૮૨ વર્ષની ઉંમર મુંબઈ મા થયુ અવસાન, ગુજરાતી સિનેમા જગતમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

ગુજરાતમાં બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન નક્કી: ૧લી મેના રોજ સુરતના કામરેજ ખાતે સંયુક્ત સંમેલનમા કરાશે વિધિવત જાહેરાત

Panchayat Samachar24