Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

  • કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારે 3462 મતથી વિજય બન્યા
  • આગાવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર 599 મતથી વિજય મેળવ્યો
  • Advertisement
  • સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારનો 859 મતથી વિજય
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ જિલ્લા ની ત્રણ તાલુકા પંચાયત બેઠક પર ૩જી ઓકટોબર ના રોજ મતદાન થયુ હતુ, જે મતદાન ની ગણતરી આજે ૫મી ઓક્ટોબરો હાથ ધરવામા આવી હતી, મતગણતરી બાદ આ ત્રણેય તાલુકા પંચાયત સીટનું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ, જેમાં ત્રણ બેઠકો માથી બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો જ્યારે એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા પંચાયત બેઠક પર પણ ભાજપના ઉમેદવાર જીત્યા હતા. જ્યારે ગરબાડા તાલુકાની સીમલીયાબુઝર્ગ તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.
દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર થઈ હતી. કેલીયા બેઠક માટે 4058 મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર ને ફક્ત 248 મતો મળ્યા હતા જયારે ભાજપના ઉમેદવાર ને 3710 મતો મળ્યા હતા અને નોટામાં 100 મતો પડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર રમેશ સુમતભાઈ બીલવાળ 3462 મતની લીડથી વિજેતા બન્યા હતા. વિજેતા ઉમેદવાર ને દેવગઢ બારીઆ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યાં હતા. અને દાહોદ તાલુકાની આગાવાડા તાલુકા પંચાયત બેઠક પણ ભાજપના ઉમેદવાર સુરેશભાઈ મેઘાભાઇનો 599 મતોથી વિજય થયો હતો. જ્યારે ગરબાડા તાલુકા પંચાયતની સીમલીયાબુઝર્ગ બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. અપક્ષના ઉમેદવાર ચુનાભાઈ વીરસિંગભાઈ વહોનીયાનો 859 મતોથી વિજય બન્યા હતા. દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોમા ભાજપ બે અને અપક્ષ ને ફાળે એક બેઠક આવી હતી, જ્યારે કોંગ્રેસ ને એક પણ બેઠક પર સફળતા મળી ન હતી.

સંબંધિત પોસ્ટ

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

કોરોના સારવાર અને બે ડોઝ વેક્સીનના લીધા બાદ પણ આ આરોગ્ય અધિકારી ફરીવાર બન્યા કોરોનાનો શિકાર

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24