Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

  • ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં
  • શહેર ના તમામ વિસ્તારો માં ઘરે ઘરે બીમારી ના ખાટલા
  • Advertisement
  • સરકારી ઝાયડ્સ તેમજ ખાનગી દવાખાનાઓ માં લાંબી કતારો
  • શહેર વાસીઓ વાયરલ ફીવર ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
વરસાદ ની ઋતુ હવે પૂર્ણ થવાની નજીક છે તેમ છતાંય દાહોદ શહેર ના રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યુ છે જે ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ અનહદ રીતે વધ્યો છે જેના કારણે દાહોદ શહેર રોગ ચાળા ના ખપ્પર માં છે ચોતરફ ગંદકી ખાલી પડેલા ખુલ્લા પ્લોટો માં લોકો દ્વારા પણ નખાતા કચરા ના કારણે પણ રોગચાળો ફાટી નીકળ્યો છે શહેર ના ખાનગી દવાખાના તેમજ સરકારી ઝાયડ્સ દવાખાનું પણ દર્દીઓ થી ઉભરાય છે તો બીજી તરફ સ્વચ્છ ભારત મિશન ના પણ લીરેલીરા ઉડતા જોવાય છે લોકો બીમારી ના કારણે આર્થિક તેમજ શારીરિક રીતે નુકશાન વેઠી રહ્યા છે દાહોદ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારો માં ફોગીંગ કરવામાં આવે છે તેમજ દવાઓ પણ છાંટવામાં આવે છે જોકે હાલ પણ અનેક વિસ્તારો આ સુવિધાથી વંચિત છે શહેર ના અનેક વિસ્તારો આજે પણ ભૂગર્ભ ગટર થી વંચિત છે જેથી ખુલ્લી ગટરો ના કારણે પણ મચ્છરો ની ત્રાસ અસહ્ય બન્યો છે જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આવી ખુલ્લી ગટરો ની સફાઈ હાથ ધરી દવાઓ છાંટવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે નગરપાલિકા નું આરોગ્ય વિભાગ સમગ્ર શહેર માં યુદ્ધ ના ધોરણે જો કામગીરી કરે તો શહેરી જનો ને આર્થિક તેમજ શારીરિક પાયમાલી માંથી બચાવી શકાય તેમ છે.

સંબંધિત પોસ્ટ

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી બે દિવસ અગાઉ અપહરણ કરાયેલ બે વર્ષની બાળકીનો ફતેપુરા પોલીસે રાજસ્થાન થી કબજો મેળવ્યો: પાંચ પૈકી ત્રણ આરોપીની પોલીસે કરી ધરપકડ

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

ભાજપ હાઈકમાન્ડ દાહોદ જિલ્લાને આપી શકે મોટી રાજકીય ભેટ, અનિલભાઈ શાહનું નામ રાજ્યસભા માટે સૌથી વધુ ચર્ચામાં, સોશિયલ મીડિયા પર સમર્થનમાં પોસ્ટરો વાયરલ