Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

  • ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં
  • શહેર ના તમામ વિસ્તારો માં ઘરે ઘરે બીમારી ના ખાટલા
  • Advertisement
  • સરકારી ઝાયડ્સ તેમજ ખાનગી દવાખાનાઓ માં લાંબી કતારો
  • શહેર વાસીઓ વાયરલ ફીવર ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
વરસાદ ની ઋતુ હવે પૂર્ણ થવાની નજીક છે તેમ છતાંય દાહોદ શહેર ના રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યુ છે જે ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ અનહદ રીતે વધ્યો છે જેના કારણે દાહોદ શહેર રોગ ચાળા ના ખપ્પર માં છે ચોતરફ ગંદકી ખાલી પડેલા ખુલ્લા પ્લોટો માં લોકો દ્વારા પણ નખાતા કચરા ના કારણે પણ રોગચાળો ફાટી નીકળ્યો છે શહેર ના ખાનગી દવાખાના તેમજ સરકારી ઝાયડ્સ દવાખાનું પણ દર્દીઓ થી ઉભરાય છે તો બીજી તરફ સ્વચ્છ ભારત મિશન ના પણ લીરેલીરા ઉડતા જોવાય છે લોકો બીમારી ના કારણે આર્થિક તેમજ શારીરિક રીતે નુકશાન વેઠી રહ્યા છે દાહોદ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારો માં ફોગીંગ કરવામાં આવે છે તેમજ દવાઓ પણ છાંટવામાં આવે છે જોકે હાલ પણ અનેક વિસ્તારો આ સુવિધાથી વંચિત છે શહેર ના અનેક વિસ્તારો આજે પણ ભૂગર્ભ ગટર થી વંચિત છે જેથી ખુલ્લી ગટરો ના કારણે પણ મચ્છરો ની ત્રાસ અસહ્ય બન્યો છે જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આવી ખુલ્લી ગટરો ની સફાઈ હાથ ધરી દવાઓ છાંટવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે નગરપાલિકા નું આરોગ્ય વિભાગ સમગ્ર શહેર માં યુદ્ધ ના ધોરણે જો કામગીરી કરે તો શહેરી જનો ને આર્થિક તેમજ શારીરિક પાયમાલી માંથી બચાવી શકાય તેમ છે.

સંબંધિત પોસ્ટ

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા લીમખેડા બંધના એલાનને વેપારીઓ સમર્થન આપી વેપાર-ધંધા બંધ રાખી લીમખેડા નગર સજ્જડ બંધ રહ્યુ

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર પી.એન.પરમારે કોરોના ગાઈડ લાઈનના લીરેલીરા ઉડાડી માસ્ક પહેર્યા વિના પ્રમાણપત્રોનુ વિતરણ કર્યુ : સરકારી અમલદારો જ નિયમોનું ઉલ્લંઘન કરે તો પ્રજા પાસે શુ અપેક્ષા!

Panchayat Samachar24