Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં: શહેરીજનો વાયરલ ફીવર, ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ

  • ગંદકી થી ખદબદતું દાહોદ શહેર બીમારી ના રાક્ષસી ભરડામાં
  • શહેર ના તમામ વિસ્તારો માં ઘરે ઘરે બીમારી ના ખાટલા
  • Advertisement
  • સરકારી ઝાયડ્સ તેમજ ખાનગી દવાખાનાઓ માં લાંબી કતારો
  • શહેર વાસીઓ વાયરલ ફીવર ડેન્ગ્યુ તેમજ મચ્છર જન્ય રોગો થી ત્રાહિમામ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
વરસાદ ની ઋતુ હવે પૂર્ણ થવાની નજીક છે તેમ છતાંય દાહોદ શહેર ના રોડ પર ખાડા રાજ જોવા મળી રહ્યુ છે જે ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી મચ્છરો તેમજ જીવાતોનો ઉપદ્રવ અનહદ રીતે વધ્યો છે જેના કારણે દાહોદ શહેર રોગ ચાળા ના ખપ્પર માં છે ચોતરફ ગંદકી ખાલી પડેલા ખુલ્લા પ્લોટો માં લોકો દ્વારા પણ નખાતા કચરા ના કારણે પણ રોગચાળો ફાટી નીકળ્યો છે શહેર ના ખાનગી દવાખાના તેમજ સરકારી ઝાયડ્સ દવાખાનું પણ દર્દીઓ થી ઉભરાય છે તો બીજી તરફ સ્વચ્છ ભારત મિશન ના પણ લીરેલીરા ઉડતા જોવાય છે લોકો બીમારી ના કારણે આર્થિક તેમજ શારીરિક રીતે નુકશાન વેઠી રહ્યા છે દાહોદ નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તારો માં ફોગીંગ કરવામાં આવે છે તેમજ દવાઓ પણ છાંટવામાં આવે છે જોકે હાલ પણ અનેક વિસ્તારો આ સુવિધાથી વંચિત છે શહેર ના અનેક વિસ્તારો આજે પણ ભૂગર્ભ ગટર થી વંચિત છે જેથી ખુલ્લી ગટરો ના કારણે પણ મચ્છરો ની ત્રાસ અસહ્ય બન્યો છે જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આવી ખુલ્લી ગટરો ની સફાઈ હાથ ધરી દવાઓ છાંટવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે નગરપાલિકા નું આરોગ્ય વિભાગ સમગ્ર શહેર માં યુદ્ધ ના ધોરણે જો કામગીરી કરે તો શહેરી જનો ને આર્થિક તેમજ શારીરિક પાયમાલી માંથી બચાવી શકાય તેમ છે.

સંબંધિત પોસ્ટ

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24