Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

  • સરકારી બાબુઓનીએ અપાતી ભેટ-સોગાદો પર ACB ની બાજ નજર
  • સરકારી કર્મચારી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે ACB કરશે કાર્યવાહી
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.૨૩
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ મા જાણે કે ભેટ સોગાદો આવવાની શરૂઆત થઈ જતી હોય છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં ACBએ દરેક જિલ્લા વાઈઝ અલગ અલગ ટીમો બનાવી સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખવાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામા આવ્યો છે, સરકારી કચેરીમા કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ભેટ સોગાદો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેની સામે  ACB કાયદેસરની કાર્યવાહી કરશે તેવુ જાણવા મળી રહ્યુ છે.
ગુજરાતમા છેલ્લા બે ત્રણ મહિનાથી ACB સક્રીય ભુમીકામા જોવા મળી રહી છે,  લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ACBએ સકંજો કસ્યો છે.  તેમ છતાં કેટલાક જાડી ચામડીના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી. ત્યારે દિવાળીના તહેવાર દરમ્યાન સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ બહાર ભેટ સોગાદો સાથે નવા વર્ષની શુભેચ્છાઓ આપનારા લોકોનો જાણે કે રાફડો ફાટે છે.
પરંતુ આ વર્ષે દિવાળી ટાંણે કોઈ પણ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ ભેટ સોગાદો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વારો આવી શકે છે, આ વર્ષે ACBએ આવા અધિકારીઓ અને કર્મચારીઓ પર સિકંજો કશવા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે  અને ગુજરાત ના તમામ જીલ્લાઓની કચેરીઓ પર બાજ નજર રાખવા ખાસ ટીમો તૈનાત કરવામા આવી છે, જે ટીમો દિવાળી ટાંણે સરકારી કચેરીઓ મા બાજ નજર રાખશે અને જો કોઈ અધિકારી કે કર્મચારી ભેટ સોગાદ સ્વીકારતા પકડાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની એ.સી.બી. તરફથી નક્કી કરવામા આવ્યૂ  છે.

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

લીમખેડાના સમાજસેવક અને વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ: સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી, ભોરિયું પહેરાવી દિનેશભાઈ શાહનુ સન્માન કર્યુ

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાહોદ ખાતે આગામી 4થી ઓક્ટોબરે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કરૂણા અભિયાન અંતર્ગત ૫૭ પશુપક્ષીઓને મળ્યું નવજીવન: ઉત્તરાયણના એક જ દિવસમાં ૩૯ પશુપક્ષીઓને મળી તાત્કાલિક સારવાર: કરૂણા અભિયાન આગામી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે: આ હેલ્પ લાઇન નંબર ૦૨૬૭૩-૨૨૧૨૬૬ પર જાણ કરી શકાશે

Panchayat Samachar24