Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દેવગઢ બારીઆ એસ.ટી ડેપોના વર્કશોપમાં ઉભેલી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ખાખ

  • વર્કશોપમાં ઉભેલી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
  • દેવગઢ બારીઆ ફાયર ફાયટરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો
  • Advertisement

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.14
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ એસટી ડેપોના વર્કશોપમાં પાર્ક કરેલી બસમાં અકસ્મિક આગ ભભુકી ઉઠી હતી. વર્કશોપની બસન  આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. દેવગઢ બારીઆ નગર પાલિકાની ફાયર ફાયટરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો એસટી બસ માં લાગેલી આગ કાબૂમાં થતા ફાયરની ટીમ સહિત એસટી વિભાગના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે આજે રવિવારે સવારે દેવગઢ બારીઆ નગરની મધ્યમાં આવેલા નગરમાં આવેલા એસ.ટી. ડેપોના વર્કશોપમાં દેવગઢ બારીઆ થી સેલવાસ રુટની બસને ડ્રાઇવરે રૂટિન ચેકઅપ માટે વર્કશોપમાં મૂકી હતી, જે સમય દરમિયાન બસના આગળના કેબીન માંથી ધુમાડો નીકળતા વર્કશોપ મા કામ કરતા  કર્મચારીઓએ બસમાં તપાસ કરતા બસના એન્જિન માં આગ લાગવાથી ધુમાડો નિકળતો હતો, બસમા લાગેલી આગને ઓલવવા માટે કર્મચારીઓએ ડેપોમાં મુકેલા અગ્નિશામકના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતા આગ પર કાબૂ મેળવવામા સફળ થયા ન હતા. ઘટનાની જાણ દેવગઢ બારીઆ નગર પાલિકાના ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી  આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં એસ.ટી બસના  આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું એસ.ટીના કર્મચારીઓએ પ્રાથમિક અનુમાન લગાવ્યુ હતુ.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પ્રજાપતિ સમાજ વડોદરાનો ત્રીજો સ્નેહ મિલન સમારોહ રણછોડજી મંદીર ફતેગંજ ખાતે યોજાયો

Panchayat Samachar24

બીમારીઓથી દુર રહેવા સવારે ખાલી પેટ મેથીના દાણાનું કરો સેવન: ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Panchayat Samachar24

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24