Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
ગુવાહાટીથી અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E457માં અકસ્માત ટળ્યો હતો. આ ફ્લાઈટમાં એક પેસેન્જરે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે એકાએક ભયનો માહોલ સર્જાયો હતો.  આ મામલે ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
જોકે, ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 41 વર્ષીય મુસાફર બિસ્વજીત દેબનાથને અન્ય મુસાફરોએ અટકાવ્યો હતો જ્યારે તેણે ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેબિન ક્રૂ સાથે પણ કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આ ફ્લાઈટ આસામના ગુવાહાટીથી આવી હતી. મળતી માહિતી મુજબ આ મામલો 21 સપ્ટેમ્બરનો છે.
ઈન્ડિગોની ફ્લાઈટ 180 મુસાફરો સાથે ગુવાહાટીથી અગરતલા એરપોર્ટ માટે રવાના થઈ હતી. પ્લેનના ઈમરજન્સી દરવાજા પાસે બેઠેલા એક યુવકે અચાનક આકાશમાં ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો. તેની બાજુમાં આવેલા અન્ય મુસાફરે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે અવરોધની અવગણના કરી અને ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ મામલો ફ્લાઈટ એટેન્ડન્ટના ધ્યાન પર આવતા જ તેઓ દોડવા લાગ્યા હતા. પરંતુ તેણે લોકોની અવગણના કરી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પ્લેનના અન્ય મુસાફરોએ યુવકને ખેંચી લીધો અને માર માર્યો.  આ ઘટનાથી હવાઈ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો
કોઈક રીતે પ્લેન આખરે અગરતલા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું. ત્યાં અટકાયત કરાયેલ આરોપી યુવકને ઈન્ડિગો એરલાઈન્સ વતી એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની સામે કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવકે નશાની ગોળીઓ ખાઈને આ  કાંડ કર્યું  હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેસેન્જરનું નામ બિસ્વજીત દેબનાથ છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા તાલુકાની ૩૦ પ્રાથમિક શાળાઓમાં ઓ.એન.જી.સી દ્વારાગરીબ પરિવારના વિદ્યાર્થીઓને નોટબુકનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

ગુજરાત સરકારની મહત્ત્વની યોજના “મિશન મંગલમ” દાહોદ જીલ્લામાં 2018 થી મૃતપ્રાય અવસ્થામાં: છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા એક પણ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામા નથી આવી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24