Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
ગુવાહાટીથી અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E457માં અકસ્માત ટળ્યો હતો. આ ફ્લાઈટમાં એક પેસેન્જરે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે એકાએક ભયનો માહોલ સર્જાયો હતો.  આ મામલે ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
જોકે, ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 41 વર્ષીય મુસાફર બિસ્વજીત દેબનાથને અન્ય મુસાફરોએ અટકાવ્યો હતો જ્યારે તેણે ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેબિન ક્રૂ સાથે પણ કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આ ફ્લાઈટ આસામના ગુવાહાટીથી આવી હતી. મળતી માહિતી મુજબ આ મામલો 21 સપ્ટેમ્બરનો છે.
ઈન્ડિગોની ફ્લાઈટ 180 મુસાફરો સાથે ગુવાહાટીથી અગરતલા એરપોર્ટ માટે રવાના થઈ હતી. પ્લેનના ઈમરજન્સી દરવાજા પાસે બેઠેલા એક યુવકે અચાનક આકાશમાં ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો. તેની બાજુમાં આવેલા અન્ય મુસાફરે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે અવરોધની અવગણના કરી અને ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ મામલો ફ્લાઈટ એટેન્ડન્ટના ધ્યાન પર આવતા જ તેઓ દોડવા લાગ્યા હતા. પરંતુ તેણે લોકોની અવગણના કરી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પ્લેનના અન્ય મુસાફરોએ યુવકને ખેંચી લીધો અને માર માર્યો.  આ ઘટનાથી હવાઈ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો
કોઈક રીતે પ્લેન આખરે અગરતલા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું. ત્યાં અટકાયત કરાયેલ આરોપી યુવકને ઈન્ડિગો એરલાઈન્સ વતી એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની સામે કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવકે નશાની ગોળીઓ ખાઈને આ  કાંડ કર્યું  હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેસેન્જરનું નામ બિસ્વજીત દેબનાથ છે.

સંબંધિત પોસ્ટ

સીંગવડ – પીપલોદ રોડ પર કેશરપુર નજીક રેતી ભરેલુ ડમ્પર પલ્ટી જતા સર્જાયો અકસ્માત

Panchayat Samachar24

માનગઢધામ ખાતે 75મા આઝાદી કા અમૃત મહોત્સ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાઈ: 7500 બાઈક માનગઢ સંદેશ યાત્રામા જોડાઈ

Panchayat Samachar24

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 62 કેસ નોંધાયા: જીલ્લામાં કોરોના ના એક્ટીવ કેસોનો આંકડો 255 પહોંચ્યો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકા ના બલૈયા માં પ્રતિબંધ હોવા છતાં ડી.જે. વગાડનાર સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેક્ટર નો આદેશ: પોલીસે ડી.જે. જપ્ત કાર્યવાહી હાથ ધરી

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24