Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
ગુવાહાટીથી અગરતલા જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E457માં અકસ્માત ટળ્યો હતો. આ ફ્લાઈટમાં એક પેસેન્જરે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે એકાએક ભયનો માહોલ સર્જાયો હતો.  આ મામલે ત્રિપુરાની રાજધાની અગરતલામાં એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર એક મુસાફરે કથિત રીતે ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પ્લેન હવામાં હતું ત્યારે પેસેન્જરે આ પ્રયાસ કર્યો હતો.
જોકે, ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 41 વર્ષીય મુસાફર બિસ્વજીત દેબનાથને અન્ય મુસાફરોએ અટકાવ્યો હતો જ્યારે તેણે ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કેબિન ક્રૂ સાથે પણ કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આ ફ્લાઈટ આસામના ગુવાહાટીથી આવી હતી. મળતી માહિતી મુજબ આ મામલો 21 સપ્ટેમ્બરનો છે.
ઈન્ડિગોની ફ્લાઈટ 180 મુસાફરો સાથે ગુવાહાટીથી અગરતલા એરપોર્ટ માટે રવાના થઈ હતી. પ્લેનના ઈમરજન્સી દરવાજા પાસે બેઠેલા એક યુવકે અચાનક આકાશમાં ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો. તેની બાજુમાં આવેલા અન્ય મુસાફરે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે અવરોધની અવગણના કરી અને ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ મામલો ફ્લાઈટ એટેન્ડન્ટના ધ્યાન પર આવતા જ તેઓ દોડવા લાગ્યા હતા. પરંતુ તેણે લોકોની અવગણના કરી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પ્લેનના અન્ય મુસાફરોએ યુવકને ખેંચી લીધો અને માર માર્યો.  આ ઘટનાથી હવાઈ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો
કોઈક રીતે પ્લેન આખરે અગરતલા એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું. ત્યાં અટકાયત કરાયેલ આરોપી યુવકને ઈન્ડિગો એરલાઈન્સ વતી એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. તેની સામે કેટલીક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. યુવકે નશાની ગોળીઓ ખાઈને આ  કાંડ કર્યું  હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેસેન્જરનું નામ બિસ્વજીત દેબનાથ છે.

સંબંધિત પોસ્ટ

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

દાહોદ તાલુકાના ભાટીવાડા ગામના સિદ્ધાર્થ ભરવાડનુ શુટીંગ વોલીબોલ મા નેશનલ કક્ષાએ સિલેક્શન થતા સન્માન કરવામા આવ્યુ

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત સરકારે 100 ટકા અનાજ અને 20 ટકા ખાંડ ફરજિયાતપણે શણના થેલામાં પેકિંગ કરવા કર્યો આદેશ

Panchayat Samachar24

ભૂ-માફીયાઓ વિરુદ્ધ ની સરકારની મુહીમને ઘોળીને પી જતુ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર: ફતેપુરાની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર નહિ કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા

Panchayat Samachar24

ફતેપુરા ના બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ બિસ્માર હાલતમા: વાહન ચાલકોને પડી રહી છે હાલાકી

Panchayat Samachar24