Panchayat Samachar24
Breaking News
ગરબાડાતાજા સમાચાર

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

  • ગોડાઉન માંથી કીડા પડેલા એક્સપાયર્ડ થયેલા બાળભોગ ના 200 પેકેટ મળી આવ્યા
  • આંગણવાડી વિભાગની ઘોર બેદરકારી સામે આવી
  • Advertisement
  • બાળકોને આપવાના પેકેટ એક્સપાયર્ડ થતા ICDS ની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ

 

ડેસ્ક પંચાયત સમાચાર24, તા.10

 

દાહોદ જિલ્લા ના ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ અધિકારી ની કચેરીના આંગણવાડીઓના ગોડાઉન માંથી વિવિધ યોજના ના પેકેટ ના 20 જેટલા થેલા મળી આવ્યા હતા, આ થેલાઓ મા રહેલા પેકેટોની ચકાસણી કરતા આંગણવાડી કેન્દ્રો પર બાળકો, કિશોરીઓ તેમજ ધાત્રી માતા અને સગર્ભા મહિલાઓ ને પુરતુ પોષણ મળી રહે તે માટે આપવામાં આવતાં બાલશક્તિ, પૂર્ણ શક્તિ અને માતૃશક્તિના એક્સપાયર્ડ થયેલા 200 જેટલા પેકેટ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગરબાડા તાલુકાની આંગણવાડી ના ગોડાઉન માંથી મળી આવેલા 200 જેટલા પેકેટ અલગ-અલગ મહિનામા એક્સપાયર્ડ થયેલા હોવાનું સામે આવ્યુ હતું. સરકાર દ્વારા ફાળવવામાં આવતો આંગણવાડીઓના બાળકોને આપવાનો જથ્થો બાળકોને નહીં આપી ગોડાઉન માં જ રાખી મુકતા તે નકામો બન્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટક 1 અને ઘટક 2 માં અંદાજિત 50થી વધુ આંગણવાડી આવેલી છે. આંગણવાડીઓ પર બાળકો માટે જે તૈયાર નાસ્તા ના પેકેટ આપવામાં આવે છે તે એજન્સી દ્વારા પહોંચાડવા મા આવે છે. ગરબાડા તાલુકાની આંગણવાડીઓના ગોડાઉન માંથી 20 જેટલા થેલા મળી આવ્યા હતાં. તેમાં તપાસ કરતા આંગણવાડીના બાળકોને પોષણયુ્ક્ત બનાવવા માટે આપવામાં આવતાં બાલશક્તિ,માતૃશક્તિ,પૂર્ણ શક્તિ નાસ્તાના 200 પેકેટ એક્સપાયર્ડ થયેલી તારીખ વાળા મળી આવ્યા હતાં. એક્સપાયર્ડ થયેલી થેલા માથી પેકેટ કાઢી તપાસ કરતા કેટલાક પેકેટ મા તો કીડા પડી ગયેલા જોવા મળ્યા હતાં. પરંતુ અહિયા સવાલ એ છે કે, સરકાર દ્વારા ફાળવેલ જથ્થો એક્સપાયર્ડ થયો ત્યા સુધી કેમ રાખી મુકવામા આવ્યો? કેમ તેને આંગણવાડીઓ સુધી સમયસર પહોચાડવામા ના આવ્યો? તેવા અનેક સવાલો icds ની કામગીરી સામે ઉઠ્યા છે, સમયફર જે તે વખતે એજન્સી દ્વારા આંગણવાડીઓ પર આ નાસ્તાના પેકેટ સપ્લાય નહીં કરીને બાળકોને નાસતા થી વંચિત રખાયા હોવાની હકીકત સામે આવી રહી છે. જેના કારણે જીલ્લા સહિત તાલુકાના બાળકો કુપોષણ થી પીડાઈ રહ્યા છે, ત્યારે આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામા આવે તો જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદ શહેરમાં ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન: શુક્ર-શનિ-રવિ વેપારીઓ સંપુર્ણ બંધ પાળશે, કોરોના સંક્રમણ વધતાં નગરપાલીકા દ્વારા લેવાયો નિર્ણય

Panchayat Samachar24

લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનો શુભારંભ કરાયો

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24