Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારભારતરાષ્ટ્રીય

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

  • મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરશે!
  • ભાજપના સ્ટ્રાઇક થી સપા મા હડકંપ મચ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા માટે ચુંટણી જંગ જામ્યો છે ત્યારે તેમા પક્ષપલટાની પ્રક્રિયા હજુ ચાલુ જ છે. ભાજપમાંથી કેબિનટે મંત્રીઓના રાજીનામાં બાદ આજે સમાજવાદી પાર્ટીના સ્થાપક અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ રવિવારે લખનૌમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલુ થઈ છે. અપ્રાણ યાદવ સાથે આઈપીએસની નોકરી છોડી ચૂકેલા અસીમ અરુણ પણ ભાજપમાં જોડાશે. મળતી માહિતી મુજબ આ બંને લોકો લખનૌમાં બીજેપીના સ્ટેટ ઑફિસમાં પાર્ટીની સદસ્યતા લેશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ ચૂંટણીના સહ-પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ હાજર રહેશે.
જણાવી દઈએ કે અપર્ણા યાદવે લખનૌની કેન્ટ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી જ્યારે તે બીજા ક્રમે રહી હતી. તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટા બહુગુણા જોશીએ હરાવ્યા હતા. જોકે અપર્ણાને લગભગ 63 હજાર વોટ મળ્યા હતા. અપર્ણા મુલાયમ સિંહની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. સમાજવાદી પાર્ટીમાં હોવા છતાં અપર્ણા યાદવે ઘણી વખત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રવિવારે 16 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને યુપી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં અનેક અગ્રણી હસ્તીઓ હાજરી આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અપર્ણા પણ ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ ભાજપ તેમને લખનૌ કેન્ટ વિધાનસભા સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

દાહોદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ૨૦ નવા યોગ કોચને પ્રમાણપત્ર આપ્યા: કાર્યક્રમમાં સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપસ્થિતિ રહ્યા

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં 19 હજારથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓ માતૃશક્તિથી મેળવી રહ્યા છે પોષણ

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24