Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારસંજેલી

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

  • સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ
  • ઘોડાવડલી ફળિયામાં રાત્રીના સમયે બાળક મૂકી અજાણી વ્યકિત ફરાર
  • Advertisement
  • બાળકને ઝાયડ્સ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા ગામના ઘોડાવડલી ફળિયામાં ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાળકને મૂકી ફરાર થઈ ગયો હતો, રાત્રીના અંધકાર ભર્યા સુમસામ શાત વાતાવરણ મા બાળકના રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આ બિનવારસી મળી આવેલ બાળકની જાણ સંજેલી પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બિનવારસી બાળકનો કબજો લઈ સંજેલી સરકારી દવાખાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામા આવ્યું હતું, બાળકની પ્રાથમિક સારવાર બાદ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયુ હતું,  સંજેલી પોલીસે બિનવારસી મળી આવેલ બાળક મામલે ફરિયાદ દાખલ કરી  બિનવારસી બાળક ક્યાંનું છે? તેને કોણ તરછોડી ગયુ છે? તેની માતા કોણ છે? તે અંગે ઝીણવટભરી તપાસ શરુ કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે મોટર સાયકલ પર વિદેશી દારૂ ની હેરાફેરી કરતા ઈસમની પોલીસે રૂપિયા 54,410ની કિંમતના દારૂ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લાની ત્રણ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ: મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Panchayat Samachar24

હોટલ અને રેસ્ટોરન્ટમા પરાઠા ખાવા પડશે મોંઘા: હવે પરાઠા પર 18% GST ચુકવવો પડશે

Panchayat Samachar24