Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારસંજેલી

સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ: પોલીસે બાળકની માતાની શોધખોળ શરુ કરી

  • સંજેલી તાલુકાના વાંસીયા ગામેથી બિનવારસી હાલતમા ત્યજી દિધેલ બાળક મળી આવ્યુ
  • ઘોડાવડલી ફળિયામાં રાત્રીના સમયે બાળક મૂકી અજાણી વ્યકિત ફરાર
  • Advertisement
  • બાળકને ઝાયડ્સ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા ગામના ઘોડાવડલી ફળિયામાં ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાળકને મૂકી ફરાર થઈ ગયો હતો, રાત્રીના અંધકાર ભર્યા સુમસામ શાત વાતાવરણ મા બાળકના રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આ બિનવારસી મળી આવેલ બાળકની જાણ સંજેલી પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બિનવારસી બાળકનો કબજો લઈ સંજેલી સરકારી દવાખાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામા આવ્યું હતું, બાળકની પ્રાથમિક સારવાર બાદ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયુ હતું,  સંજેલી પોલીસે બિનવારસી મળી આવેલ બાળક મામલે ફરિયાદ દાખલ કરી  બિનવારસી બાળક ક્યાંનું છે? તેને કોણ તરછોડી ગયુ છે? તેની માતા કોણ છે? તે અંગે ઝીણવટભરી તપાસ શરુ કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

Panchayat Samachar24

સિલિન્ડર ન મળ્યો છતાં મેસેજ આવ્યો: તપાસમાં એજન્સીની પોલ ખૂલી, 27.81 લાખનો દંડ થયો, નજીબાબાદની ગેસ એજન્સી સામે કાળાબજારી અને ગેરરીતિના પુરાવા મળતા કંપનીએ વસૂલ્યો ભારે દંડ, સમગ્ર પંથકમાં ચકચાર મચી

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર: પોલીસને સસ્પેન્ડ કરવાની ધમકી આપનારા આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરતા ખળભળાટ

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24