Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

  • ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્ય તપાસ કરી
  • સગર્ભાઓને સુપોષિત કરાશે,આધાર, આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવશે
  • Advertisement
  • દાહોદમાં બાળ કલ્યાણ સમિતિ કાચા ઝુંપડામાં વસતા ગરીબ પરિવારોની વ્હારે આવી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ શહેર તેમજ તેની આસપાસ કેટલાયે ગરીબ અને નિરાધાર પરિવારો વસવાટ કરે છે.આવી જ એક વસાહત પરેલ પાસે આવેલી છે.આ વસાહતમાં આજે બાળ કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી અને બાળકોની આરોગ્ય ચકાસણી કરાવી હતી.ઉપરાંત જરુરી દસ્તાવેજો પણ આવા ગરીાબ પરિવારોને મળી રહે તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદમાં પાસે પરેલમાં મેડીકલ કોલોની પાસે એક વસાહત આવેલી છે.જેમાં કાચા મકાનોમાં ગરીબ પરિવારો રહે છે.તે પૈકીના કેટલાક લોકો ભિક્ષાવૃત્તિ કરે છે તો કેટલાક પરિવારો ફુગ્ગા કે વિવિધ પ્રકારના રમકડાં વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે.આ તમામ પરિવારોની હાલત કફોડી છે ત્યારે ઘમી વખત સેવાભાવીઓ આવા પરિવારોને જરુરી ચીજ વસ્તુઓનું દાન કરે છે પરંતુ તે તેમના માટે પુરતું હોતુ નથી.જેથી ગુજરાત સરકારની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની, બાળ સુરક્ષા વિભાગની ટીમ અને આરોગ્ય કર્મીઓએ સાગમટે આજે આ વસાહતની મુલાકાત લીધી હતી.સાૈ પ્રથમ તમામ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.તેમાંથી એક બાળકનવે હ્રદયની બીમારી હોવાનું માલુમ પડતાં તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

આ બાળકો પૈકી કેટલા બાળકો શાળાએ જાય છે તો કેટલા બાળકો શાળાએ કેમ જઇ શક્તા નથી તેની જાણકારી પણ મેળવી તમામ બાળકો શિક્ષણ મેળવે તેની તજવીજ પણ શરુ કરવામાં આવી છે.ટીમની મુલાકાત દરમિયાન પાંચ સગર્ભાઓ પણ મળી આવી છે અને તેઓ પણ કુપોષિત છે કે કેમ અને હોય તો તેમના પોષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.કેટલાક પરિવારો પાસે જરુરી દસ્તાવેજો ન હોવાથી તેમને સરકારી યોજનાઓના લાભ મળી શક્તા નથી.જેથી તેવા પરિવારોને રેશનકાર્ડ, આધાર કાર્ડ કે આયુષ્માન યોજનાના કાર્ડ મળી રહે તેના માટે પણ સુચના આપી તેની ત્વરિત વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે તેનું ઘનિેષ્ઠ આયોજન પણ કરવામાં આવ્યુ છે.પાંચ સગર્ભાઓ પૈકી એક સગર્ભાને તેની પ્રસુતિ સુધીની દેખરેખ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીએ તેમને દત્તક લીધા છે.જેથી આ સગર્ભાને અનાજ તેમજ સારવાર માટેની જવાબદારી તેમણે સ્વીકારી લીધી છે.
આમ ગરીબ પરિવારો કેવી રીતે આત્મ નિર્ભર બને તેમજ ભિક્ષા વૃત્તિમાંથી પોતાના બાળકોને પણ બચાવી લઇ તેમને શિક્ષિત કરે તે દિશામાં બાળ કલ્યાણ સમિતિએ આજે નક્કર કામગીરીની શરુઆત કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન બચુભાઈ ખાબડ ના હસ્તે દેવગઢ બારીઆ ના સમડી સર્કલ ખાતે સો ફુટ ઉંચા પોલ પર તિરંગો લહેરાવાયો

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Panchayat Samachar24

ગરીબો માટે આશીર્વાદરૂપ ‘મનરેગા યોજના’ની માહિતી પુસ્તિકાઓ પાણીમા ગરકાવ હાલતમા ક્યાંથી મળી??: વિગત જાણી આપ પણ ચોંકી જશો

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

ઝળહળતી સફળતાનું છઠ્ઠું વર્ષ, ‘ગરબા ક્વીન’ ફાલ્ગુની પાઠકના ગરબાની રમઝટ વધુ એક વખત મુંબઈના બોરીવલીમાં …..

Admin

ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય…ગ્રામજનો ત્રાહિમામ…ગ્રામ પંચાયત તંત્ર નિદ્રાધીન

Panchayat Samachar24