Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

દાહોદ તાલુકાના કતવારા ગામની ઘટના: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું..
સાત વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહિલા તબીબે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આઈખું ટૂકાવ્યો.
દાહોદ તાલુકાના કતવારામાં ખાનગીમાં પ્રેકટીશ કરતી 26 વર્ષીય મહિલા તબીબે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં દવાખાનાની ચાદર વડે પંખા પર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કતવારા ખાનગી દવાખાનુ ચલાવતી અને સાત વર્ષ પહેલા નિશાળ ફળીયામાં તેમના ઘરની સામે રહેતા મેહુલ કિશોરસિંહ હાંડા જોડે પ્રેમ લગ્ન કરનાર મેઘાબેન મેહુલ હાંડાએ ગતરોજ અગમ્ય કારણોસર તેમના રહેણાંક મકાનમાં પંખા પર દવાખાનાની ચાદર વડે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું. જે બાદ તેમના સાસરી પક્ષ તેમજ તેમના પિયર પક્ષના લોકો દ્વારા પંખા પર લટકેલી મેઘાબેનને નીચે ઉતારી દાહોદના ભરપોડા હોસ્પીટલ ખાતે લઈને દોડ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે મેંઘાબેનને મૃત જાહેર કરતા પરિવારજનોમાં માતમ થવા જવા પામ્યો હતો.
ઉપરોક્ત બનાવ સંદર્ભે કતવારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડા તાલુકામાં શ્રી ચારભૂજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નવીન પ્રસૂતિ ગૃહ તથા 3D અને 4D સોનોગ્રાફી સુવિધા સાથેની અત્યાધુનિક લેબોરેટરીનો શુભારંભ કરાયો

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ પર વીજળી ત્રાટકતા બિલ્ડીંગને સામાન્ય નુકશાન: બિલ્ડીંગ પર અર્થિંગ ટાવર હોવાના કારણે વીજળી સીધી જમીનમાં ઉતરી જતા કોઈ જાનહાની નહિ

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

Panchayat Samachar24