Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડાના મહાકાળી મંદિરના મહંત કિર્તન મહારાજે રથ સાથે લીમખેડા થી ફાગવેલ સુધી યાત્રા કરી

લીમખેડાના પટેલ ફળીયામા આવેલ મહાકાળી મંદિરના કિર્તન મહારાજ દ્વારા દેશમા શાંતિ અને સમૃદ્ધિ વધે તેવા ઉદ્દેશ સાથે લીમખેડાથી ફાગવેલ ધામ સુધી યાત્રા કરી હતી.
લીમખેડા નગરના પટેલ ફળીયા વિસ્તારમા વર્ષોથી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર તેમજ લોકોને ધાર્મિક તહેવારોની હિન્દુ ધર્મ મુજબ ઉજવણી કરવા સાચી પ્રેરણા આપી હંમેશા સનાતન ધર્મનો મહિમા સમજાવી લોકોમા હિન્દુ ધર્મની આસ્થાને મજબુત કરનાર અને મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા કિર્તન મહારાજ દ્વારા સમગ્ર દેશમા શાંતિનુ વાતાવરણ બની રહે અને દેશ સમૃદ્ધ બને, લોકોમા ભાઈચારો વધે તેવા શુભ આશયથી લીમખેડાના મહાકાલી મંદિરથી માતાજીના રથ સાથે ફાગવેલ સુધી યાત્રા કરીને પહોચ્યા હતા, કિર્તન મહારાજ દ્વારા લીમખેડા અને ફાગવેલમા દંડવત યાત્રા કરીને નિજ મંદિર સુધી પહોંચી ભાવિક ભક્તો સાથે ધજા ચઢાવી હતી, સતત માતાજીની ભક્તિમા લીન રહેનાર કિર્તન મહારાજના સાનિધ્યમા આવનાર હજારો લોકોના દુ:ખ દર્દ માતાજીના આશીર્વાદ અને કૃપા દષ્ટિથી દુર થયા છે, લીમખેડાના પટેલ ફળીયા ખાતે આવેલ મહાકાળી મંદિરે દર પુનમે હજારો માઈભકતો દશર્ન કરવા આવે છે, મંદિરમા બિરાજમાના મા મહાકાલી તમામ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
મહાકાલી મંદિરે નવરાત્રી અને દશામા વ્રતનુ કરાય છે વિશેષ આયોજન
લીમખેડાના પટેલ ફળીયા ખાતે આવેલા મહાકાલી મંદિરે વર્ષ દરમ્યાન આવતા તમામ તહેવારોની ઉજવણી કરવામા આવે છે, જેમા ખાસ કરીને નવરાત્રિ અને દશામા વ્રત ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવે છે, નવરાત્રી અને દશામા વ્રત ઉત્સવ દરમ્યાન હજારો ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે, હજારો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવા મહાકાલી મંદિરે લોકો ધારેલા કામ પૂર્ણ કરવા માતાજીની માનતા રાખતા હોય છે અને માતાજી પણ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે.
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ કલેક્ટરે ઝાયડસ હોસ્પિટલની લીધી મુલાકાત: કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓના પૂછ્યા ખબર અંતર: ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાને કલેક્ટરે બિરદાવી

Panchayat Samachar24

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

Panchayat Samachar24

ફતેપુરા ગામમાં શનિ-રવિ-સોમ 3-દિવસનું લોકડાઉન : ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય : સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષકની અનોખી પહેલ.. ડીડી ગિરનાર ચેનલ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાની કરી શરૂઆત

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24