Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડામાં ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ: 24 કલાક ડિલિવરી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ

લીમખેડાના ઝાલોદ રોડ ઉપર બરોડા બેંકના એટીએમની સામે ભવ્યમ મેટરનીટી એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ તાજેતરમાં ધામધૂમથી કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ છેલ્લા ચાર વર્ષથી સતત સેવા આપી રહી છે અને હવે તેને અત્યાધુનિક મેડિકલ સંસાધનોથી સજ્જ કરવામાં આવી છે. 24 કલાક ડિલિવરી સેવા સહિત અધ્યતન સોનોગ્રાફી મશીન દ્વારા તપાસ અને સ્ત્રી રોગોને લગતી તમામ સારવાર અહીં ઉપલબ્ધ થશે.

 

 

આ હોસ્પિટલ અનિયમિત માસિક, સફેદ પાણી પડવું, પ્રેગ્નન્સીમાં તકલીફ અને વારંવાર ગર્ભપાત જેવી સમસ્યાઓનું નિદાન અને સારવાર પૂરી પાડશે. બાળરોગની સારવારમાં નેબ્યુલાઇઝર દ્વારા નાસની સેવા ઉપરાંત સરદી, ખાંસી, માથાનો દુખાવો, મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ જેવા તાવ તેમજ કમળો, ઝાડા-ઉલટી, કોલેરા, બી.પી. અને ડાયાબિટીસ જેવા રોગોની સારવાર માટે પણ સજ્જ છે.

શુભારંભ પ્રસંગે સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી, જ્યારે આસપાસના લોકો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. ભાવીકભાઈ ડબગર, ડૉ. દિવ્યેશ ડબગર અને નરેશભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી આ હોસ્પિટલને તમામે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે હાજર રહેલા લોકોએ હોસ્પિટલની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી અને સમાજના હિત માટે આ એક મહત્વનું પગલું ગણાવ્યું. ભવ્યમ હોસ્પિટલ આગામી સમયમાં આરોગ્ય સેવાઓમાં નવું ધોરણ સ્થાપિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

રાજય સરકારના મંત્રી કુબેર ડીંડોરની આગેવાનીમાં દાહોદ જીલ્લાની છ વિધાનસભા વિસ્તારમા ભાજપની જન આશિર્વાદ યાત્રા યોજાઈ: વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર યાત્રામા જોડાયા: ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ

Panchayat Samachar24

ફતેપુરાના બલૈયા ગામની આર્ચિ પ્રજાપતિ નીટની પરિક્ષામા 544 માર્કસ સાથે ઉતિર્ણ થતા ઠેરઠેરથી મળી રહી છે શુભેચ્છાઓ

Panchayat Samachar24

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિનાં અધ્યક્ષ તરીકે ગોરધનભાઈ ઝડફીયાની નિમણુંક

Panchayat Samachar24

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગરમાં દેશભરના પત્રકારોનું સ્નેહમિલન યોજાયુ: પત્રકારો નાં હિત માટે “પત્રકાર કલ્યાણ નિધી” ની જાહેરાત: એક વર્ષમાં રૂપીયા 5 કરોડ પત્રકાર કલ્યાણ નિધી માટે એકત્ર કરવાનો સંકલ્પ કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા

Panchayat Samachar24

હવે 2000 રૂપિયાની નોટ 7 ઓક્ટોબર સુધી બદલી શકાશે: રિઝર્વ બેંકે મુદ્દતમા કર્યો વધારો

Panchayat Samachar24

ફતેપુરામા વણીક સમાજ દ્વારા ભગવાન શ્રીરામજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી

Panchayat Samachar24