Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

  • જીલ્લાના 2200 કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

  • 2જી ઓક્ટોબરથી ગાંધીનગર ખાતે ભુખ હડતાલમા જોડાશે

  • Advertisement

પંચાયત સમાચાર24 તા.22

દાહોદ જીલ્લાની સરકારી કચેરીઓમા આઉટસોર્સિંગ મારફતે ફરજ બજાવતા કર્મચારીઓ કલેક્ટર કચેરીના  પટાગણમા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા કચેરીમા મોટા ભાગની સેવાઓ પર અસર પહોચી હતી.

વિધાનસભાની ચુંટણી નજીક આવતા સરકારી કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલનુ શસ્ત્ર અપનાવીને પોતાની માંગણીઓ સ્વીકરવા સરકાર સામે બાયો ચઢાવી છે, ત્યારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ થી દાહોદ જીલ્લાની વિવિધ કચેરીઓમા ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના 2200 જેટલા કર્મચારીઓ 17મી સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતરતા સરકારી કચેરીઓના કામ કાજ પર અસર પહોચી હતી, ખાસ કરીને મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રો સંપૂર્ણ પણે બંધ હાલમા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓએ સરકાર પાસે સમાન કામ, સમાન વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગો સ્વિકારવામા આવે અને તેમના પ્રશ્નો યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ 31 કેસ નોંધાયા: જીલ્લામાં એક્ટીવ કેસોનો આંકડો 216 પહોંચ્યો

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ

ગુજરાતમા શિક્ષકોની બદલીને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્ત્વની જાહેરાત: બદલીના નવા નિયમનો રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે સીધી અસર

Panchayat Samachar24

લીમખેડાના સ્વ.ડૉ. શ્રી આર.કે.શાહ ની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનોએ લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી શ્રધ્ધાંજલી અર્પણ કરી

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ

Panchayat Samachar24