Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

  • જીલ્લાના 2200 કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

  • 2જી ઓક્ટોબરથી ગાંધીનગર ખાતે ભુખ હડતાલમા જોડાશે

  • Advertisement

પંચાયત સમાચાર24 તા.22

દાહોદ જીલ્લાની સરકારી કચેરીઓમા આઉટસોર્સિંગ મારફતે ફરજ બજાવતા કર્મચારીઓ કલેક્ટર કચેરીના  પટાગણમા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા કચેરીમા મોટા ભાગની સેવાઓ પર અસર પહોચી હતી.

વિધાનસભાની ચુંટણી નજીક આવતા સરકારી કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓ હડતાલનુ શસ્ત્ર અપનાવીને પોતાની માંગણીઓ સ્વીકરવા સરકાર સામે બાયો ચઢાવી છે, ત્યારે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિ થી દાહોદ જીલ્લાની વિવિધ કચેરીઓમા ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4 ના 2200 જેટલા કર્મચારીઓ 17મી સપ્ટેમ્બરથી હડતાલ પર ઉતરતા સરકારી કચેરીઓના કામ કાજ પર અસર પહોચી હતી, ખાસ કરીને મામલતદાર કચેરીઓના જનસેવા કેન્દ્રો સંપૂર્ણ પણે બંધ હાલમા છે, આઉટસોર્સિંગ કર્મચારીઓએ સરકાર પાસે સમાન કામ, સમાન વેતન, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સરકાર દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગો સ્વિકારવામા આવે અને તેમના પ્રશ્નો યોગ્ય નિકાલ કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે.

મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ ૧૧ નાયબ મામલતદારોની કરી આંતરિક બદલી: જાણો કયા નાયબ મામલતદારની ક્યાં કરાઈ બદલી

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના તાલુકાઓમા આવેલી મનરેગા શાખાઓમાં ફરજ બજાવતા 20 ટેકનિકલ આસિસ્ટન્ટની સામુહીક બદલી: લાંબા સમયથી એક જ તાલુકામા ફરજ બજાવતા કર્મચારીઓ બદલાતા “ક્યાંક ખુશી તો ક્યાંક ગમ” નો માહોલ

Panchayat Samachar24

CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરાયો: બે મહિનાથી સતત ભાવ વધારો કરાતા મધ્યમવર્ગનુ બજેટ ખોરવાતા આર્થિક મુશ્કેલીઓ વધી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં લોકોને પીવાનું પાણી પુરુ પાડવાની યોજનાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો: અગાઉની યોજનાઓમાં બનાવેલ પાણીના ટાંકાઓ તથા સંપમાં વર્ષો બાદ પણ પાણી આવ્યુ નથી

મોદીની સભામાં મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી પાછળ રાજકીય રણનીતિ કે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા? વિવાદો વચ્ચે પણ બચુભાઈએ નિભાવી પાર્ટી પ્રત્યેની વફાદારી, મંત્રીપદ રહેશે કે જશે? અંતિમ નિર્ણય ભાજપના ઉચ્ચ નેતૃત્વ અને નરેન્દ્ર મોદીની રણનીતિ પર આધાર રાખશે

Panchayat Samachar24

દાહોદ જિલ્લા પંચાયતમાં બિરસા મુન્ડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી: ભારત દેશની આઝાદીમાં ભગવાન બિરસા મુંડાજીનું અનન્ય યોગદાન: નરેન્દ્ર સોની

Panchayat Samachar24