Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે મંગળવારની રાતના રોજ મંદિરના છત પર ઊંઘી રહેલા યુવક પર દીપડાએ હુમલો કરીને મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે મારણ સાથે પાંજરૂ મુક્યું હતું. જેમાં દીપડાને પુરવામા વનવિભાગને સફળતા મળી હતી.

ધાનપુર તાલુકામાં કુદાવાડા ગામના સીમાડા પર ડુંગરની નીચે કુદરતી ઝરણું સતત વહે છે. આ ઝરણાં પર વન્યપ્રાણીઓ તરસ મિટાવે છે. ઝરણાની લગોલગ મહાદેવ અને ગાયત્રી મંદિર આવેલું છે ત્યારે કોઠારીયાના ગાયત્રી સાધકને વન્ય પ્રાણીએ ફાડી ખાતા ચકચાર મચી હતી. વિસામા ઘરના છત પરથી વિકૃત હાલતમાં તેની લાશ મળતા તેની ઈજાને ધ્યાનમાં લઈને વનવિભાગ વન્ય પ્રાણીના હુમલામાં મોત થયાનું જાણવા મળ્યું હતું .

ધાનપુર વનવિભાગ દ્વારા આ કુદરતી ઝરણા પર મારણ સાથે પાંજરુ ગોઠવ્યુ હતું. ગોઠવેલા પાંજરામાં દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડાનું વનવિભાગ આર એફ ઓ આર.બી.ચૌહાણ અને સ્ટાફ રેસ્ક્યુ કરીને પાવાગઢ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

સંબંધિત પોસ્ટ

પંચાયત સમાચાર24 મા અહેવાલ પ્રસિધ્ધ થતા માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યુ: લીમખેડાના પાલ્લી શનિ મંદિર નજીકના નાળાની ટુટેલી રેલિંગનુ સમારકામ યુદ્ધના ધોરણે શરુ કરાયુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો: છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણ ના 72 પોઝિટિવ નોંધાયા

Panchayat Samachar24

ગોધરા ચાઇલ્ડ હેલ્પ લાઇનને ખજૂરી ગામે બાળ લગ્નની મળી હતી ફરિયાદ: ટીમ લગ્ન માંડવે પહોંચે તે પહેલા પરિવારજનોએ બાળ લગ્ન કરાવી જાનને વળાવી દીધી

Panchayat Samachar24

73મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દાહોદ શહેર યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયુ: મોટી સંખ્યા મા યુવાનો બ્લડ ડોનેટ કર્યુ

Panchayat Samachar24

કોરોના વેક્સિનનો ડોઝ ન લીધો હોય તો ગુજરાતમાં આટલી જગ્યાએ નહી મળે એન્ટ્રી

Panchayat Samachar24