Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારધાનપુર

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો

ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે મંગળવારની રાતના રોજ મંદિરના છત પર ઊંઘી રહેલા યુવક પર દીપડાએ હુમલો કરીને મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે મારણ સાથે પાંજરૂ મુક્યું હતું. જેમાં દીપડાને પુરવામા વનવિભાગને સફળતા મળી હતી.

ધાનપુર તાલુકામાં કુદાવાડા ગામના સીમાડા પર ડુંગરની નીચે કુદરતી ઝરણું સતત વહે છે. આ ઝરણાં પર વન્યપ્રાણીઓ તરસ મિટાવે છે. ઝરણાની લગોલગ મહાદેવ અને ગાયત્રી મંદિર આવેલું છે ત્યારે કોઠારીયાના ગાયત્રી સાધકને વન્ય પ્રાણીએ ફાડી ખાતા ચકચાર મચી હતી. વિસામા ઘરના છત પરથી વિકૃત હાલતમાં તેની લાશ મળતા તેની ઈજાને ધ્યાનમાં લઈને વનવિભાગ વન્ય પ્રાણીના હુમલામાં મોત થયાનું જાણવા મળ્યું હતું .

ધાનપુર વનવિભાગ દ્વારા આ કુદરતી ઝરણા પર મારણ સાથે પાંજરુ ગોઠવ્યુ હતું. ગોઠવેલા પાંજરામાં દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડાનું વનવિભાગ આર એફ ઓ આર.બી.ચૌહાણ અને સ્ટાફ રેસ્ક્યુ કરીને પાવાગઢ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

સંબંધિત પોસ્ટ

દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને ૭૩મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામા આવી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના નાના સલરા ગામે “નલ સે જલ” યોજના નો ખાતમુહૂર્ત દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ મોહિત ડામોર ના હસ્તે કરવામાં આવ્યું

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા થશે મહેરબાન: 4 દિવસ વરસી શકે છે વરસાદ: 26 તાલુકાઓમાં વરસાદની આગાહી

Panchayat Samachar24

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા જંગલ ખાતા દ્વારા સારવાર કરાવાઈ

Panchayat Samachar24

દાહોદ સહિત અન્ય સાત જેટલા જીલ્લાની હોસ્પિટલોમાં કોરોના બેડની ખાલી જગ્યા ની સ્થિતિ જાણવા વેબસાઈટ લોન્ચ કરાઈ

Panchayat Samachar24